પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના કામકાજની સમીક્ષા કરવા માટે 21મીએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં દરેક મંત્રાલયોના મંત્રી અને સચિવ સામેલ થશે. પ્રવાસી ભારતીય ઓડિટોરીયમાં યોજાનારી આ બેઠકમાં દરેક મંત્રીઓ, વિભાગોના સચિવનો સામેલ થવા નિર્દેશ મોકલવામાં આવ્યો છે.
પીએમ મોદીએ મંત્રીઓની બોલાવી બેઠક
6 મહિનાના કામકાજની સમીક્ષા કરશે
કામકાજની સમીક્ષા કરવા માટે 21મીએ ઉચ્ચસ્તરીય બેઠક
સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર રહે તેવી શક્યતા છે. જો કે અગાઉ આ બેઠક ગરવી ગુજરાત ભવનમાં આયોજિત કરવામાં આવી હતી પરંતુ આ વખતે મુકામ બદલવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે મંત્રીઓ દ્વારે રજૂ કરવામાં આવેલા કામકાજના રિપોર્ટની સમીક્ષા કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જેને લઇને બધા મંત્રાલયના અધિકારીઓ રિપોર્ટ બનાવવામાં લાગી ગયા છે. મંત્રીઓને મોકલવામાં આવેલા નિર્દેશ મુજબ બેઠકમાં દરેક મંત્રીઓએ ગત છ મહિનામાં કરેલા કામકાજ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ સાથે મંત્રીઓ પાસે આગામી પ્રોજેક્ટના કામકાજની વિગત પણ મંગાવામાં આવી છે જે આવનાર 4 વર્ષમાં પૂરા કરવાના છે.
મંત્રીઓના સમૂહની બેઠક છ મહીના બાદ યોજાઇ રહી છે. ગત બેઠક નવી સરકારના ગઠન બાદ થોડા જ દિવસે એટલે કે 13 જૂનના રોજ યોજાઇ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક મંત્રીઓ સામે વિકાસના કામો અંગેની એક રણનીતિ તૈયાર કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં મંત્રીઓ સાથે મિશન 2022ને લઇને પોતાની પ્રાથમિકતા જણાવી હતી.