હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મંડી પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે 'કમળનું ફૂલ' જ ભાજપ છે. કમળના ફૂલને મત આપવાથી તેઓ મજબૂત થશે. આ પછી કોંગ્રેસે વીડિયો શેર કરીને કહ્યું છે કે, પીએમ મોદીએ પોતે બળવાખોર નેતાને બોલાવ્યા છે.
કોંગ્રેસના નેતા શ્રીનિવાસે એક વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ફતેહપુર વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ક્રિપાલ પરમારને ફોન કરીને ચૂંટણીમાંથી ખસી જવા કહ્યું હતું. તેણે કહ્યું કે હું કંઈ સાંભળીશ નહીં. આ વીડિયો અનુસાર ક્રિપાલ પરમારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ફરિયાદ પીએમ મોદીને પણ કરી હતી. બળવાખોર નેતાએ કહ્યું કે, નડ્ડા 15 વર્ષથી તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તમારા પર મારો અધિકાર છે. તારા જીવનમાં મારો કોઈ રોલ હોય તો તેના પર પરમાર કહે છે કે તમારો ઘણો રોલ છે. જોકે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમજ VTV ન્યૂઝ પણ આ વાતની પુષ્ટિ કરતું નથી.
क्या दिन आ गए है भारत के प्रधानमंत्री के,
हिमाचल में बागी BJP नेताओं को खुद फ़ोन लगाकर कह रहे है 'चुनाव से हट जाओ, मैं कुछ नहीं सुनूंगा'
અહી નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ભાજપમાં વર્ષો સુધી કામ કરનારા ઘણા નેતાઓ બળવાખોર બની ગયા છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડને પૂરેપૂરો ખ્યાલ છે કે ,બળવાના કારણે પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ હિમાચલની જનતાને સંદેશ આપ્યો કે, ઉમેદવાર કોણ છે, આના પર ન જાઓ. આ સાથે જ બળવાખોરોને એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે, પાર્ટીથી કોઈ મોટું નથી.
हिमाचल से बीजेपी के बागी उम्मीदवार कृपाल परमार को मोदी खुद फोन करके चुनाव नहीं लड़ने की बात कह रहे हैं ?
यकीन न हो तो फोन से आती आवाज को गौर से सुनिए.
कृपाल परमार को कांगड़ा जिले की फतेहपुर सीट से टिकट नहीं मिला तो मैदान में निर्दलीय उतर गए .
मोदी ने फोन करके कहा - मत लड़ो pic.twitter.com/PgWTUC3iP2
નોંધનીય છે કે, હિમાચલ વિધાનસભાની 21 સીટો પર લોકોએ ભાજપ સામે બળવો કર્યો છે. જેમાં મંડીમાંથી પ્રવીણ શર્મા, બિલાસપુરમાં સુભાષ ઠાકુર, બંજરમાં હિતેશ્વર સિંહ, કિન્નરમાં તેજવંત નેગી, ચંબામાં ઈન્દિરા ઠાકુર, બરસરમાં સંજીવ શર્મા, નૂરપુર ક્રિપાલ પરમાર, દેહરામાં હોશિયાર સિંહ, અનીમાં કિશોરી લાલા, યુવરાજ કપૂરનો સમાવેશ થાય છે. , નાલાગઢમાં કેએલ ઠાકુર જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે.
શું કહ્યું વડાપ્રધાને ?
વડાપ્રધાને કહ્યું કે, આ વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણી ઘણી ખાસ છે. આ વખતે 12 નવેમ્બરે યોજાનાર એક-એક વોટ રાજ્યની આગામી 25 વર્ષની વિકાસ યાત્રા નક્કી કરશે. અમૃતકાળના આ વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં ઝડપી વિકાસ જરૂરી છે, સ્થિર સરકાર જરૂરી છે. તેમણે કહ્યું કે. મને ખુશી છે કે હિમાચલના લોકો, અહીંના યુવાનો, અહીંની માતાઓ અને બહેનો આને સારી રીતે સમજી રહ્યા છે. તેમણે કહ્યું કે, જનતા ભાજપ સરકારની મજબૂત પુનરાગમન માટે સંકલ્પબદ્ધ છે.