દેશમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને જોતાં પીએમ મોદીએ ફરીથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.
કોરોનાના કેસોએ વધારી ચિંતા
પીએમ મોદી બધા મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
17 માર્ચે વર્ચ્યુઅલી બેઠકમાં હાજર રહેશે પીએમ મોદી
પીએમ મોદીના વડપણ હેઠળ આજે વધુ એક વાર દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકનું આહ્વાન કરવામાં આવ્યું હતું, નોંધનીય છે કે આ બેઠક 17 માર્ચના મળશે અને પીએમ મોદી બધા મુખ્યમંત્રીઓની સાથે કોરોનાના વધતાં કેસો અને રસીકરણની પ્રક્રિયા અંગે ફીડબેક લેશે.
પીએમ મોદી મંત્રણા કરશે
એવું મનાઈ રહ્યું છે કે પીએમ મોદી કોરોનાના વધતાં કેસ અને રસીકરણ ઉપર વધુ ભાર મૂકવાની વાત કરી શકે છે, આ બેઠક જો કે વર્ચ્યુઅલી યોજાશે અને બધા રાજ્યો પાસેટી કોરોનાની સામે રાજ્ય સરકારો દ્વારા લેવાઈ રહેલા પગલાં અને વેકસિનેશન અંગે પીએમ મોદી માહિતી મેળવશે.
છેલ્લા 24 કલાકમાં 26 હજારથી વધુ કોવિડ કેસ
કોરોના વાયરસ વધુ એક વાર દેશમાં માથું ઊંચકી રહ્યો છે, તેવા સમયમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 26291 નવા કેસ સામે આવ્યા છે, અને હવે દેશમાં કુલ કોરોના કેસોની સંખ્યા વધીને 1,13,85,339 થઈ ગઈ છે, તેમ જ આજે 118 લોકોના મોત પણ થયા છે, જેના પછી કુલ મોતની સંખ્યા 1,58,725 થઈ ગઈ છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસનો કુલ આંકડો 2,19,262 જેટલો છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા 1,10,07,352 છે. જો કે 2,99,08,038 લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે.
પંજાબમાં બોર્ડની પરીક્ષા રદ્દ
ત્યાં જ ઉત્તર ભારતના રાજ્ય પંજાબમાં કોરોનાના વધતાં કેસોની વચ્ચે સરકારે 10 એનએ 12 માં ધોરણની પરીક્ષાઓને ટાળવાનો નિર્ણય લીધો છે અને શિક્ષણ વિભાગ અનુસાર રાજ્યમાં 22 માર્ચથી શરૂ થનારી 12માં ધોરણની પરીક્ષા 20 એપ્રિલથી 24 મે સુધી અને 9 એપ્રિલથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા 4 મેથી 24 મે સુધી કરાવવામાં આવશે.
સુરતમાં ફરીથી કોરોના હોસ્પિટલ ખોલવામાં આવી
કોરોનાના વધતાં કેસોની વચ્ચે સુરતમાં 500 બેડના કોરોના સ્પેશિયાલિટી હોસ્પિટલને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.