ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે હવે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કર્યો હતો અને તેમની ખબર અંતર પૂછી હતી.
શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ
PM મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કર્યો
ફોન કરીને મોદીએ પૂછ્યા ખબર અંતર
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે આ કોરોનાની ઝપેટમાં કેટલાક રાજકીય નેતાઓ પણ આવી ચૂક્યા છે. શનિવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
PM મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને પુછ્યા ખબર અંતર, શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે#PMModi#covid19#shanakrsinhvaghela
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 28, 2020
પહેલા તેમને હોમ આઈસોલેટ કરાયા હતા પરંતુ હાલ શંકરસિંહ વાઘેલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.હાલ તો શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકો અને તેમની સાથે મુલાકાતે આવેલા તમામ નેતાઓમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. તો બીજી તરફ બે દિવસ પહેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેને લઇને સમર્થકો, નેતા અને પત્રકારો ચિંતામાં મુકાયા છે.
શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ અગાઉ જ NCPમાંથી આપ્યું હતું રાજીનામું
રાજ્યસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતું. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર દ્વારા આ વાત જણાવી હતી. ટ્વિટર પર એક પત્ર અપલોડ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલએ એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું.