ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે પ્રધાનમંત્રી વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવી છે. જેથી હવે ખેડૂતો મરજી પ્રમાણે વીમો લઈ શકશે. જાણો શું છે મહત્વના મુદ્દા.
મોદી કેબિનેટ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય
PM ખેડૂત વીમા યોજના સ્વૈચ્છિક બનાવાઈ
ખેડૂતો મરજી પ્રમાણે પાક વીમો લઈ શકશે
થોડા સમય પહેલાં વીમા કંપની વિવાદમાં આવી હતી. આક્ષેપ હતો કે, કરોડો રૂપિયાના પ્રમિયમ છતાં વીમા કંપની ખેડૂોતને યોગ્ય વીમો નથી ચુકવતી. જેને લઈને સાંસદોએ સવાલો ઉઠાવ્યા હતા. તો ગુજરાત સરકારે પણ પાક વીમાં મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. ત્યારે હાલ સરકારના આ નિર્ણયથી ખેડૂતો ખુશખુશાલ જણાય રહ્યા છે.
ખેડૂતની મંજૂરી વગર પાકધિરાણ વખતે નાણાં નહી કપાય
અગાઉ ખેડૂતને જાણ વગર બેંકો પ્રિમિયમ કાપતી હતી. ખેડૂતની ઈચ્છા ન હોય તો પણ પ્રિમિયમ ભરવા માટે ફરજ પડાતી હતી. વીમા યોજના સ્વૈચ્છિક બનતા હવે ખેતીના વ્યવસાયમાં વીમા કંપનીની જોહુકમી ઘટશે. સાથે જ પ્રિમિયમ કપાયા પછી વળતર લેવાની મુશ્કેલી દૂર થશે. ખેડૂતની મંજૂરી વગર પાકધિરાણ વખતે નાણાં નહી કપાય. તો હવે સરકારને પણ ખેડૂતોની ફરિયાદોનો સામનો નહી કરવો પડે.
ખેડૂતોને શું થશે રાહત?
1. અગાઉ ખેડૂતને જાણ વગર બેંકો પ્રિમિયમ કાપતી હતી
2. ખેડૂતની ઈચ્છા ન હોય તો પણ પ્રિમિયમ ભરવા માટે ફરજ પડાતી હતી
3. ખેડૂત હવે ઇચ્છા પ્રમાણે વિમો લઇ શકે છે
4. હવે ખેતીના વ્યવસાયમાં વીમા કંપનીની જોહુકમી ઘટશે
5. સાથે જ પ્રિમિયમ કપાયા પછી વળતર લેવાની મુશ્કેલી દૂર થશે
6. ખેડૂતની મંજૂરી વગર પાકધિરાણ વખતે નાણાં નહી કપાય
7. તો હવે સરકારને પણ ખેડૂતોની ફરિયાદોનો સામનો નહી કરવો પડે
સરકારના નિર્ણય પર ખેડૂતોએ શું કહ્યું?
સરકારના આ નિર્ણય પર ખેડૂતોએ પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતો માટે પાક વિમો મરજીયાત કરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે, પાક વિમો મરજીયાત કરવાથી ખેડૂતોના પૈસા બચશે. કરોડો રૂપિયાનુ પ્રિમિયમ કંપનીઓ ઘર ભેગુ કરી ગઈ છે. સરકાર આ વર્ષનુ પ્રમિયમ કંપનીઓ પાસેથી અપાવે. સરકારને પણ નિર્ણયથી લાભ થશે. પાક વિમો મરજીયાત કરવાથી દેશના કરોડો રૂપિયા બચશે. અમે પ્રિમિયમ ભરતા હતા પણ પૈસા મળતા નહતા.