પ્રધાનમંત્રી મોદીના બુલેટ ટ્રેનના સપના પર એક વાર ફરીથી સંકંટના વાદળો ઘેરાઈ રહ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન અધિગ્રહણને લઈ મહારાષ્ટ્રના કેરી અને ચીકૂ જેવા ફળોના ઉત્પાદકોએ પ્રગટ કર્યો છે.
ફળ ઉત્પાદકો પોતાની જમીનના બદલે કેન્દ્ર સરકાર પાસેથી વૈકલ્પિક રોજગારની માંગ કરી રહ્યા છે. આ વિરોધમાં તેમને સ્થાનીય નેતાઓનું પણ સમર્થન પણ મળી રહ્યુ છે. જો કે સરકારે ફળ ઉત્પાદકોને તેમની જમીનને ખરીદવા માટે માર્કેટ રેટ કરતા વધારે ઓફર કરી છે. સાથેજ રિસેટલમેન્ટ માટે 5 લાખ કે 50 ટકા જમીનની કિંમત જે પણ વધારે હોય તે આપવાની ઓફર કરવામાં આવી છે.
ફળ ઉત્પાદકોના આ વિરોધના કારણે આ પ્રોજેક્ટની જમીન અધિગ્રહણની ડિસેમ્બરની ડેડલાઈનને હજુ આગળ વધી શકે છે. આટલુંજ નહિ જાપાનના ફંડિંગ પર આધારિત આ પ્રોજેક્ટમાં સોફ્ટ લોનની વ્યવસ્થામાં પણ અડચણો આવી શકે છે. આ લોન જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી જાહેર કરશે.