પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં કરી હતી. આજે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાયસણ સ્થિતિ નિવાસ સ્થાને માતા હિરાબાના આશીર્વાદ લીધા. પીએમ મોદીએ માતા હિરાબા સાથે ભોજન લીધું હતું.
પીએમ મોદીએ માતા હિરાબાના આશીર્વાદ લીધા
કાંસાની થાળીમાં માતા સાથે ભોજન લીધું
પીએમ મોદીએ નર્મદા કેવિડયા કોલોનીની લીધી મુલાકાત
પીએમ મોદીએ નર્મદા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું
Gujarat: Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. Today is PM Modi's 69th birthday. pic.twitter.com/dVqy49fjUW
પીએમ મોદી જન્મદિવસ નિમિત્તે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન તેઓ ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યાં હતા. માતા હિરાબાના આશીર્વાદ લઇને તેમણે કાંસાની થાળીમાં બપોરનું ભોજન લીધું. માતા હિરાબા સાથે પીએમ નરેન્દ્ર મોદી પુરણપોળી જમ્યા હતા.
Gujarat: Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. Today is PM Modi's 69th birthday. pic.twitter.com/vT8X46DfdK
આ અગાઉ પીએમ મોદી આજ રોજ સવારે સરદાર સરોવર ડેમની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં પીએમ મોદીએ પૂજા-અર્ચના કરી હતી. જ્યાં પીએમ મોદીએ વહેલી સવારે સફારી પાર્કનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગરૂડેશ્વર દત્ત મંદિરે પૂજા કરી હતી.
પીએમ મોદીએ નર્મદા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું
પીએમ મોદીએ નર્મદા ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદે સર્વદેના નારા સાથે પીએમ મોદીએ સંબોધનનો પ્રારંભ કર્યો હતો. પીએમ કહ્યું કે કેમ છો? આજે ગુજરાતમાં જોર લાગે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પાછળ જળસાગર છે અને આગળ જનસાગર છે.
PM મોદીએ ગરૂડેશ્વર દત્ત મંદિરે દર્શન કર્યાં
પીએમ નરેન્દ્ર મોદી ગરૂડેશ્વર દત્ત મંદિરે પૂજન કરવા પહોંચ્યાં હતા. દત્ત મંદિર નર્મદા નદીના કાંઠે આવેલું છે. પીએમ મોદીએ ગરૂડેશ્વર દત્ત મંદિરમાં પુજા કરી હતી. પીએમ મોદી આ અગાઉ જ્યારે CM હતા ત્યારે પણ દત્ત મંદિરના દર્શનાર્થે જતા હતા. ત્યારબાદ પીએમ મોદી ચિલ્ડ્રન હાઉસની મુલાકાત લીધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ત્યારે હાલ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. જ્યારે બીજી તરફ નર્મદા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ત્યારે વહેલી સવારે PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ PM મોદીએ વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા છે. એટલું જ નહીં PM મોદીએ રિવરરાફ્ટિંગ પણ નિહાળ્યું હતું. પીએમ મોદીએ સફારી પાર્કનું નિરીક્ષણ કર્યું. આ સમયે રાજ્યપાલ, સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ હાજર રહ્યાં હતાં.
PM નરેન્દ્ર મોદીએ કેકટસ ગાર્ડનમાં ઉડાવ્યા પતંગીયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જંગલ, સફારી, બટરફલાય ગાર્ડન અને કેકટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જંગલ સફારીમાં તેમણે જાણકારી મળી હતી. ત્યારબાદ કેક્ટસ ગાર્ડનમાં તમામ પ્રકારની અલગ-અલગ પ્રકારના થોર વિશે જાણકારી મેળવી હતી. જો કે ત્યારબાદ પીએમ મોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગીયા ઉડાવ્યાં હતા.