દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित देश के सर्वप्रिय नेता प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
मोदी जी के रूप में देश को एक ऐसा नेतृत्व मिला है जिसने लोक-कल्याणकारी नीतियों से वंचित वर्ग को विकास की मुख्यधारा से जोड़ा और एक मजबूत भारत की नींव रखी।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે રાષ્ટ્ર સેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના. મોદી જીના રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું જેમાં લોક-કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારાથી જોડ્યાં અને એક મજબૂત ભારતનો પાયો નાંખ્યો.
राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित देश के सर्वप्रिय नेता प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
मोदी जी के रूप में देश को एक ऐसा नेतृत्व मिला है जिसने लोक-कल्याणकारी नीतियों से वंचित वर्ग को विकास की मुख्यधारा से जोड़ा और एक मजबूत भारत की नींव रखी।
અમિત શાહે લખ્યું કે દાયકાથી પોતાના અધિકારાથી વંચિત ગરીબોને ઘર, વીજળી, બેંક ખાતુ અને શૌચાલય આપવું કે ઉજ્જવલ યોજનાથી ગરીબ માતાઓના ઘરે ગેસ પહોંચાડવાનું તેમને સન્માનપૂર્ણ જીવન દેવુ, આ માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અતૂટ સંકલ્પ અને મજબૂત ઇચ્છાશક્તિથી જ શક્ય થઇ શક્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે પ્રધાનમંત્રી મોદી જી ને જન્મદિવસની શુભેચ્છા.
Greetings and warm wishes to PM Shri @narendramodi on his birthday. India has benefited tremendously from his astute leadership, firm conviction &decisive action. He has been working assiduously towards empowering the poor & marginalised. Praying for his good health and long life
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યાં છે, હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું.
अंत्योदय से राष्ट्रोदय की संकल्पना को साकार करते यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की शुभकामनाएं।
प्रभु श्री राम की कृपा से आप,इसी प्रकार 'एक भारत-श्रेष्ठ भारत' के दिव्य ध्येय की ओर बढ़ते हुए माँ भारती को गौरवभूषित करते रहें।
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વવિટ કરી પીએમ મોદીને શુભેચ્છા આપી. યોગીએ લખ્યું અંત્યોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના.
प्रधानमंत्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। आपने भारत के जीवन-मूल्यों व लोकतांत्रिक परंपरा में निष्ठा का आदर्श प्रस्तुत किया है। मेरी शुभेच्छा और प्रार्थना है कि ईश्वर आपको सदा स्वस्थ व सानन्द रखे तथा राष्ट्र को आपकी अमूल्य सेवाएं प्राप्त होती रहें।
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. તમે ભારતના જીવન-મૂલ્યો તેમજ લોકશાહી પરંપરામાં નિષ્ઠાનું આદર્શ પ્રસ્તુત કર્યું છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે ઇશ્વર તમને સદાય સ્વસ્થ તેમજ ખુશ રાખે તેમજ રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવા પ્રાપ્ત થતી રહે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે યુવા વસ્થામાં પરિવારને છોડી દીધો હતો અને પછી સંઘ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અલગ-અલગ પદો પર કામ કર્યા પછી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014 સુધી તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા રહ્યા. 2014 પછી તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યાં.