આજે મોદી સરકાર 2.0નું એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમયે તેઓએ ઓડિયો મેસેજની મદદથી દેશવાસીઓને સંદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યું કે કોરોનાની મહામારીના લીધે હું આપની સમક્ષ આવી શક્યો નથી. આ ઓડિયો સંદેશની મદદથી તમારા આર્શિવાદ લેવા આવ્યો છું.
પીએમ મોદીએ ઓડિયો સંદેશમાં ગેસ કનેક્શન, ઘર, શૌચાલય, વીજળી અંગેની વાતો કરી છે. સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ખેડૂતોની માંગ, જીએસટી, આર્ટિકલ 370ની ચર્ચા કરી છે. મોદી સરકાર-2નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભાજપે બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પુરુ કરતા કાર્યકરો અને નેતાઓ દ્વારા ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. દેશભરમાં 750થી વધારે વર્ચ્યુઅલ રેલી અને 1 હજારથી વધારે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત કોરોનાની મહામારીમાં સરકારે બહાર પાડેલી આત્મનિર્ભર યોજના 10 કરોડ ઘર સુધી પહોંચાડવાનું પણ લક્ષ્યાંક લીધો છે. તો માસ્ક, સેનેટાઈઝરનું જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવશે. 1 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરાઈ છે.