ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજા રાઉન્ડના વોટિંગ પહેલા પ્રચાર માટે પીએમ મોદી શુક્રવારે કાસગંજ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પહેલા તબક્કામાં ભાજપને ભારે બહુમત મળવાનો દાવો કરતા વિપક્ષા પર કટાક્ષ કર્યો હતો.
ચૂંટણી પ્રચાર માટે યુપીમાં પહોંચ્યા છે પીએમ મોદી
વિપક્ષ લગાવ્યો મોટો આરોપ
ઈવીએમ પર સવાલ કરનારા લોકોને આડેહાથ લીધાં
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજા રાઉન્ડના વોટિંગ પહેલા પ્રચાર માટે પીએમ મોદી શુક્રવારે કાસગંજ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પહેલા તબક્કામાં ભાજપને ભારે બહુમત મળવાનો દાવો કરતા વિપક્ષા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આ લોકો ફક્ત ઈવીએમ પર સવાલો ઊભા કરે છે. પીએમ મોદીએ ક્રિકેટમાં વિકેટ ન મળતા હતાશ બોસર અમ્પાયર પર ગુસ્સા ઠાલવે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઈવીએમ પર સવાલ ઉઠાવવા હોય તો, 10 માર્ચ પછી બહું દિવસો પડ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, કૈરાનામાં ગુરૂવાર રાતે એક ગાડીમાં ઈવીએમ મળ્યા બાદ સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જ્યારે ડીએમે જણાવ્યું હતું કે, તે રિઝર્વ ઈવીએમ હતાં.
#WATCH | A 'chowk' named after Bharat Ratna singer Lata Mangeshkar in Ayodhya. I congratulate CM Yogi to set up Lata Mangeshkar Academy for music at film city: Prime Minister Narendra Modi speaking at public rally in Kasganj ahead of phase-2 polling in Uttar Pradesh pic.twitter.com/M22XCcovQ0
પીએમ મોદીએ કહ્યું કે, કાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું છે, લોકોએ ભારે સંખ્યામાં ઘરમાંથી નિકળીને યુપીના વિકાસ માટે કમળને વોટ આપ્યા છે. ખાસ કરીને આપણી બહેન દિકરીઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. જે માહોલ છે, તે જોતા ભાજપની લહેર છવાયેલી છે. કાલે બપોર બાદ એ નેતાઓના જેટલા પણ ઈન્ટરવ્યૂ આવ્યા, તેમના ચહેરા લટકેલા હતાં. હવે તેઓ પરિવારની વાત કરવા લાગ્યા છે. યોગીજી શું હાલત કરી નાખી છે, આપે આ લોકોની.
વિકેટ ન મળતા અમ્પાઉર પર ગુસ્સો ઠાલવે
પીએમ મોદીએ આગળ કહ્યું કે, આપ જોઈ લો જે ઘોર પરિવારવાદી લોકો છે, તેમને પણ ખબર પડી ગઈ છે કે, નાવ ડૂબી ગઈ છે. એટલા માટે અત્યારથી ઈવીએમ અને ચૂંટણી પંચ પર સવાલો કરી રહ્યા છે. આપને ખબર છે ને કે, ક્રિકેટમાં શું થાય છે, બોલર બોલ ફેંકે છે અને વિકેટ નથી મળતી તો બોલ ફેંકે છે અને ત્યાં પહોંચતા પહેલા જ બુમો પાડે છે આઉટ..આઉટ... નથી થતો તો અમ્પાયર પર ગુસ્સો નિકાળે છે. પહેલા તબક્કામાં બાદ આ લોકો ઈવીએમને દોષ દેવા લાગે છે. હવે જનતા આપને સ્વિકાર નહીં કરે. જનતાને ગુંડારાજ નથી જોઈતું. જો ઈવીએમને ગાળો આપવી છે, તો 10 માર્ચ બાદ બહું દિવસો પડ્યા છે, આપતા રહેજો.
The 'Parivarwadi' people have realised that their boat has sunk & hence they've started blaming the EVM & the Election Commission. The truth is that the people of UP are not ready to accept them & their 'Gunda Raj': PM Modi at a public rally in Kasganj#UttarPradeshElections2022pic.twitter.com/0gH9gKMQHl
પીએમ મોદીએ આગળ જણાવ્યું હતું કે, ઘોર પરિવારવાદીઓએ એવા ગુનાહિત લોકોને મેદાનમાં ઉતાર્યા છે, જે આપનાથી ખાર ખાઈને બેઠા છે. આ ગુંડાઓને હરાવવા માટે આપે એકજૂથ થવાની જરૂર છે. તથા ભાજપના ઉમેદવારોને વોટ આપજો. ગુંડાઓને ક્યારેય મોકો આપતો નહીં. મોદી અને યોગીને આપ જે આશીર્વાદ આપી રહ્યા છો, તેનાથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, યોગીએ યુપીમાં જે સુરક્ષાનો માહોલ ઉભો કર્યો છે, તેમણે સમૃદ્ધિનો નવો દ્વાર ખોલ્યો છે. સમાજનો દરેક વર્ગ મહેનત કરી રહ્યો છે. ઉન્નતી કરી રહ્યો છે. એટલા માટે જે માહોલ જરૂરી છે. તે માહોલ યોગી સરકારે આપ્યો છે.