પીએમ મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે સોલને આટલી વ્યાપક પ્રતિક્રિયાની સાથે આ સંદેશો આપ્યો છે કે હિમાચલમાં ડબલ એન્જિનની સરકાર ફરી બનશે. તે સાથે જ તેમણે વિપક્ષી દળો પર પ્રહાર કરતાં કહ્યું કે ' આ લોકો પોતાને કટ્ટર ઇમાનદાર કહે છે, પરંતુ સૌથી વધુ ભ્રષ્ટાચારી હોય છે. '
PMએ 'વિજય સંકલ્પ રેલી'નું સંબોધન કર્યું
કહ્યું,' હિમાચલમાં ફરી ડબલ એન્જિનની સરકાર બનશે'
હિમાચલમાં સ્થિર સરકાર પર કરી વાત
હિમાચલ પ્રદેશ: સોલનમાં પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી સંબંધિત રેલીને સંબોધિત કરતાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનો ભારે બહુમતથી વિજયનો દાવો કર્યો છે. તેની સાથે જ તેમણે વિપક્ષી દળો પર પ્રહાર કરતાં કહ્યું કે જે પોતાને 'કટ્ટર ઇમાનદાર' કહે છે તે જ સૌથી વધુ ભ્રષ્ટ હોય છે. આ લોકો સમાજને તોડવા માટે દેશની એકતાને તોડવા માટે ષડયંત્રો રચે છે. હિમાચલને આવા સ્વાર્થી સમૂહોથી પોતાને બચાવીને રાખવા જોઇએ.
વિજય સંકલ્પ રેલીને કર્યું સંબોધિત
પીએમ મોદીએ રેલીનું સંબોધન કરતાં કહ્યું કે સોલને આટલી વ્યાપક પ્રતિક્રિયાની સાથે એ સંદેશો આપ્યો છે કે હિમાચલમાં ડબલ એન્જિન સરકાર ફરી બનશે. તેમણે વધુમાં કહ્યું કે આજે સોલને સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે હિમાચલમાં ફરી ડબલ એન્જિન સરકાર. હિમાચલમાં ફરી એકવાર ભાજપા સરકાર. સોલને પોતાની ઓળખાણ મશરૂમ સિટી અને લાલ ટમેટાને લીધે રેડ ગોલ્ડનાં રૂપે બનાવી છે.
सोलन ने मुझे खूब खिलाया भी है और बहुत कुछ सिखाया भी है। इसलिए मैं सोलन का डबल कर्जदार हूं। इसलिए हिमाचल में डबल इंजन की सरकार आपके आशीर्वाद से बनेगी, मुझे पूरा विश्वास है: सोलन, हिमाचल में 'विजय संकल्प रैली' को संबोधित करते हुए PM मोदी pic.twitter.com/qpC1W70glh
હું સોલનનો ડબલ દેવાદાર- PM મોદી
રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ' સોલને મને ઘણું જમાડ્યું છે અને ઘણું શિખવાડ્યું છે. તેથી હું સોલનનો ડબલ દેવાદાર છું. તેથી હિમાચલમાં ડબલ એન્જિનની સરકાર તમારાં આશીર્વાદથી બનશે, મને પૂરો વિશ્વાસ છે'. વધુમાં તેમણે કહ્યું કે, 'હિમાચલ પ્રદેશને જેની સૌથી વધુ જરૂરત છે તે છે ભાજપા સરકાર જે રાજ્યમાં સ્થિરતાનું વાતાવરણ આપી શકે છે. સ્થિર સરકારમાં વિકાસ પણ ઝડપથી થાય છે અને જનતા પ્રત્યે સરકાર પણ પોતાની જવાબદારી સમજી શકે છે.'
હિમાચલમાં પણ સ્થિર સરકારની જરૂર
તેમણે કહ્યું કે ઉત્તરાખંડ હોય, ગોવા હોય, મણિપુર હોય અનેક એવા નાનાં રાજ્યો હોય તેઓ સ્થિર સરકારની તરફ વળ્યાં છે. ઉત્તરપ્રદેશમાં પણ આ પરંપરા થઇ ગઇ હતી પરંતુ ત્યાંના લોકોએ પરંપરા બદલી અને ફરી યોગીજીની સરકાર લાવી.
કોંગ્રેસ પર પીએમના પ્રહાર
પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યાં કે કોંગ્રેસનાં વર્ષોનાં શાસનમાં આપણે ત્યાં એવા અનેક સ્વાર્થ તત્વો અને સમૂહો જમા થઇ ગયાં હતાં કે જે ભારતને સ્થિર જોવા ઇચ્છતાં નથી. ભારતમાં સ્થિર સરકાર જોવા ઇચ્છતાં નથી. દેશનાં નાનાં રાજ્યો હંમેશા સ્વાર્થી સમૂહોના નિશાના પર રહે છે.
કેન્દ્રમાં સ્થિર સરકાર બની તો આ ફેરફાર થયાં
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે કેન્દ્રમાં સ્થિર સરકાર બની તો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારિયો વિરૂદ્ધ નિર્ણાયક લડત શરૂ થઇ. જ્યારે કેન્દ્રમાં સરકાર સ્થિર બની તો આતંકવાદ, નક્સલવાદ, કાબૂમાં આવ્યાં અને નોર્થ ઇસ્ટમાં શાંતિ સ્થાપિત થઇ.