પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(28 મે 2022) એક દિવસીય ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. સવારે તેમણે રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સ્થળ પર જાહેર કાર્યક્રમમાં તેમણે સંબોધન કર્યું હતું. ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. બાદમાં તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ભાગ લીધો. તો અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રિય સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર વિભાગના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાનું આત્મનિર્ભર થવું મહત્વપૂર્ણ છે. પૂ.બાપુ અને સરદાર સાહેબે આપણને રસ્તો બતાવ્યો. ગુજરાતના એવા 6 ગામ નક્કી કરાયા છે, જ્યાં સમગ્ર રીતે કોપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશના પહેલા નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરતા હું વિશેષ આનંદની અનૂભુતી કરું છું.
મુશ્કેલીઓનો સામનો કરીશુ પણ ખેડૂતો પર અસર નહી થવા દઈએઃ PM મોદી
નવી ટેક્નોલોજીના અભાવે ઘણી સ્થિતિઓ ડામાડોળ બની હતી. નવી સરકાર બનતાની સાથે નિમ કોટિંગનું પગલુ ભર્યુ. બંધ પડેલા ખાતરના કારખાના ફરી શરૂ કરવામાં આવ્યા. યુપી અને તેલંગણાની ફેક્ટરીઓ શરૂ થઈ ચૂકી છે. ખાતરની જરૂરીયાત પુરી કરવા માટે વર્ષોથી આપણે આયાત કરીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી ફર્ટિલાઈઝરની કિંમતોમાં મોટો વધારો થયો છે. ખેડૂતો માટે સંવેદનશીલ અમારી સરકારે નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્થિતિઓને કારણે મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓનો સામનો કરીશુ પણ ખેડૂતો પર અસર નહી થવા દઈએ. મુશ્કેલીઓ છતા ખેડૂતોને ફર્ટિલાઈઝરની મોટી અછત થવા નથી દીધી. વિદેશમાંથી ખરીદેલી 3500ની યુરિયાની બેગ 300માં ખેડૂતોને આપીએ છીએ. DAPની કિંમતોમાં ઉછાળો આવતા છતા ખેડૂતોને અસર થવા નથી દીધી. DAPમાં દર બેગમાં કિંમતનો 5 ગણો ભાગ સરકાર પોતે ભોગવે છે. ખેડૂતોને મળનારી રાહત 2 લાખ કરોડથી વધુ થવાની છે. ખેડૂતોના હિતમાં જે જરૂરી હોય તે અમે કરીએ છીએ, કરતા રહીશું.
યુરિયા પર વિદેશી નિર્ભરતા ઘટશેઃ PM મોદી
વધુમાં જણાવ્યું કે યુરિયાની એક બોરી, તેની જેટલી તાકાત છે, એક બોટલમાં સમાઇ ગઇ છે. એટલે નેનો યુરિયાની અડધા, અડધો લીટર બોટલ, આખી બોરી યુરિયાની જરૂરિયાતને પૂર્ણ કરશે. જેનાથી ખર્ચો ઓછો થઇ જશે. આવા 8 વધુ પ્લાન્ટ દેશમાં લાગવાના છે. તેનાથી યુરિયા પર વિદેશી નિર્ભરતા ઓછી થશે. આજે ખેડૂતો યુરિયા લેવા જાય તે દ્રશ્યની કલ્પના કરો. મને વિશ્વાસ છે કે અન્ય નેનો ફર્ટિલાઈઝર ખેડૂતોને મળતા થશે. આ નેનો ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતાને કારણે મહત્વનું પગલુ ભરી શક્યા. ભારત દુનિયામાં ખાતરનું બીજા નંબરનું સૌથી મોટુ ગ્રાહક છે. ઉત્પાદન મામલે ભારત ત્રીજા નંબરનો ઉત્પાદક દેશ છે.
ડેરી ક્ષેત્ર અંગે જાણો PM મોદી શું બોલ્યા
ગત વર્ષોમાં ડેરી સેક્ટર ઝડપથી વધી પણ રહ્યું છે. આજે ભારત એક વર્ષમાં લગભગ 8 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. આપણા દેશની માતા-બહેનો કારભાર સંભાળે છે. ઘઉં અને અનાજનું બજાર તે દૂધ ઉત્પાદનથી પણ ઓછું છે. એવીજ રીતે પશુપાલન પણ સાડા નવ લાખ કરોડ રૂપિયા આસપાસ છે. ગત દાયકાઓમાં ગુજરાતમાં જો ગામડાઓમાં વધુ સહમતિ જોવા મળી છે તો તેનું એક મોટું કારણ ડેરી સેક્ટરથી જોડાયેલા કો-ઓપરેટિવ રહ્યા છે. હું આલોચના નથી કરતો પણ ક્યારેક કેટલીક વસ્તુઓને એટલે યાદ કરવી પડે કે પહેલા શું થતું હતું. આપણે કચ્છ-સૌરાષ્ટ્રમાં ડેરીનું નિર્માણ કરવા અને તેના પર રોક લગાવવાનો પ્રાવધાન કરાયું હતું. હું અહીં હતો તે મે કહ્યું, અમૂલ વધી રહ્યું છે તો અમરેલી અને કચ્છની ડેરી પણ આગળ વધી શકે છે. આજે ગુજરાતમાં ડેરીનું ક્ષેત્ર ચોતરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં દૂધ આધારિત વસ્તુઓનો વેપાર વધ્યો કારણ કે સરકાર તરફથી પ્રતિબંધો ઓછામાં ઓછા રહ્યા. તેને સંપૂર્ણ આઝાદી આપી હતી.
લિજ્જત પાપડનું પ્રધાનમંત્રીએ આપ્યું ઉદાહરણ
ગુજરાતમાં લગભગ 17 લાખ બહેનો આ મુવમેન્ટનો ભાગ છે. 50 લાખથી વધુ પરિવાર આની સાથે જોડાયેલા છે. અમૂલ જેવા આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ બનાવવા માટે પણ ગુજરાતની આપણી બહેનોની મોટી ભૂમિકા રહી છે. લિજ્જત પાપડને જાણતા જ હશો. આદિવાસી-ગરીબ મહિલાઓએ હાથ ઘરેલું કામ આજે મલ્ટિનેશનલ બ્રાન્ડ બની ચૂકી છે. દુનિયામાં ભારતીય ગમે ત્યાં પહોંચ્યો હશે તો તેની સાથે લિજ્જત પાપડ પણ પહોંચ્યા હશે. અમે તેની કદર કરતા તેને પદ્મશ્રી એવોર્ડ આપ્યો.
સહકાર વિભાગ માટે અલગથી મંત્રાયલની રચના કરીઃ PM મોદી
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ... આ મંત્રને લઇને ચાલી રહ્યા છીએ. સહકારની આત્મા છે આ મંત્ર. આઝાદીના અમૃત મહોત્સવને લઇને આ મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. સહકારિતા માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવી. એકબાદ એક નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે, સહકારી સમિતિઓને માર્કેટમાં કોમ્પેટિટર બનાવીએ. ગત વર્ષમાં કો-ઓપરેટિવ સોસાયટીમાં ટેક્સમાં પણ રાહત આપી. બહુ બધા નિર્ણયો લીધા.
Gujarat | Prime Minister Narendra Modi to address the seminar of leaders of various cooperative institutions on 'Sahakar Se Samriddhi' shortly at Mahatma Mandir, Gandhinagar
PM will also inaugurate the Nano Urea (Liquid) Plant constructed at IFFCO, Kalol pic.twitter.com/WO3rL3wsPQ
વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ સંબોધિત કરી હતી. ગુજરાત સહકારિતા વિભાગમાં સફળ મોડેલ છે. સહકારિતાની આત્માને બચાવવામાં ગુજરાતનો મોટો ફાળો છે. સહકારિતા આંદોલનના મુળમાં 'સ્વાવલંબન અને સ્વદેશી'. હું ખુબ નાની ઉંમરે સહકારિતા આંદોલન સાથે જોડાયો છું. તમામની એક માંગ હતી કે સહકારિતા વિભાગનું અલગ મંત્રાલય બને.
ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીની હાજરીમાં સહકારથી સમૃદ્ધી કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ હતુ કે, સહકારી મંત્રાલય બનાવીને પીએમ મોદીએ ઐતિહાસિક પગલુ ભર્યુ હતુ. અમિત શાહે કહ્યુ હતુ કે,દેશભરમાં ગુજરાતન સહકારીતા આંદોલનને એક સફળ મોડલ માનવામાં આવે છે. દેશભરમાં ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં સહકારી વ્યવસ્થા પારદર્શક રીતે ચાલે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે સ્તંભોના આધાર પર મોરરજી દેસાઈ અને સરદાર પટેલે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીના સમયે જ સહકારી આંદોલનની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સહકાર એ લોકશાહીનો આધાર છે. સહકાર એ ગ્રામ્ય અર્થતંત્રનો આધાર છે.
ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ
પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો
સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર સે સમૃદ્ધિ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાઇ છે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
પ્રધાનમંત્રીએ રાજકોટમાં હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન
રાજકોટના આટકોટમાં પ્રધાનમંત્રીમાતુશ્રી કે.ડી.પી. મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની મુલાકાત પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવી હતી. તેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કર્યુ હતું.
રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજભવન ખાતે કર્યું સ્વાગત
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન રાજભવન ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે તેમનું
ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.