ભારતમાં કોરોના રોગચાળાનો રિકવરી રેટ 88 ટકા છે. આવું એટલા માટે થયું છે કારણ કે ભારત એવો પ્રથમ દેશ છે જેમાં લૉકડાઉન લચીલા સ્વરૂપે અપનાવવામાં આવ્યુ હતું. કોવિડ 19 રસી વિકસાવવામાં ભારત હવે અગ્રણી દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠકના ઉદઘાટન સમારોહ દરમિયાન આ વાત કહી હતી.
ભારતમાં કોરોના રોગચાળાનો રિકવરી રેટ 88 ટકા
પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન
ભારતે પહેલા લોકડાઉન લગાવી લોકોને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા
તેમણે કહ્યું કે આજે આપણે ત્યાં દરરોજ કોરોનાના કેસોના વિકાસ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં લોકો સાજા થવાનો દર 88 ટકા છે, જે એક ઉચ્ચતમ સ્તર છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અમારી પાસે મજબૂત અને સક્ષમ વૈજ્ઞાનિક સમુદાય છે. અમારી પાસે સારી વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ છે.
પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન
તેમણે વધુમાં જણાવ્યું કે, કન્ટેનમેન્ટથી લઇને ક્ષમતા નિર્માણ સુધી તેમણે કેટલીય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે કહ્યું કે, આ બેઠકનું આયોજન ભારતમાં થવાનું હતું પરંતુ બદલાયેલી પરીસ્થિતીએ આ બેઠકનું વર્ચ્યુઅલ રીતે આયોજન કરાયું.
Today, we are seeing a decline in the number of cases per day and the growth rate of cases.
India has one of the highest recovery rates of 88 percent: PM
વૈશ્વિક મહામારીના આવા સંજોગોમાં પણ ટેકનોલોજીની તાકાતે આપણને અલગ થવા દીધા નથી. તેમણે કહ્યું કે ભવિષ્ય તે સમાજોનું હશે જે વિજ્ઞાન અને નવીનીકરણમાં રોકાણ કરે છે. જો કે,તે ટૂંકા દૃષ્ટિકોણની રીતે કરી શકાતું નથી. વિજ્ઞાન અને નવીનીકરણ માટે અગાઉથી વધુ સારી રીતે રોકાણ કરવું પડશે. આ તે છે જ્યારે આપણે યોગ્ય સમયે લાભ મેળવી શકીએ.
ભારતે પહેલા લોકડાઉન લગાવી લોકોને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા
વીડિયો કોન્ફરન્સમાં ગ્રાન્ડ ચેલેન્જ્સના વાર્ષિક સંમેલનને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થયો છે અને રિકવરી રેટ 88 ટકા પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે આ શક્ય છે કારણ કે ભારતે પહેલા લોકડાઉન લગાવી લોકોને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા.