પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટની બહાર ગુજસેલના ગ્રાઉન્ડ ઉપર પીએમ મોદી જાહેર સભાને સંબોધી હતી. પીએમ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા ત્યાર બાદ તેઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જ્યાં દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યો. ત્યારબાદ હવે પીએમ મોદીએ નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રીમાં માતાજીની આરતી કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે
પીએમ મોદીએ અમદાવાદમાં નવરાત્રી ગરબા નિહાળ્યા
પીએમ મોદીએ અહીં માં અંબાની આરતી ઉતારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે હતા. ત્યારે આજે PM મોદી વાયબ્રન્ટ ગરબા મહોત્સવમાં પણ ભાગ લેવા પહોંચ્યા છે. GMDC ગ્રાઉન્ડમાં ચાલી રહેલા વાયબ્રન્ટ ગરબા મહોત્સવમાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદીએ અહીં માં અંબાની આરતી ઉતારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રીના ગરબા નિહાળ્યા હતા. કલાકાર કિર્તીદાન ગઢવીએ ગાંધીજીના ગરબા ગાયા. સ્વચ્છતાની થીમ પર ગરબા લીધા. મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે GMDCમાં વાયબ્રન્ટ નવરાત્રીમાં માં અંબાની આરતી પણ ઉતારી હતી.