પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક પ્રશ્ન શેર કર્યો અને લોકોને તેનો જવાબ આપવા કહ્યું. શેર કરેલા પોલમાં, સવાલ એ હતો કે "આ ટ્રેનો પર કેટલા કન્ટેનર રાખવામાં આવ્યા છે? કૃપા કરીને તેમને ગણતરી કરો અને જવાબ આપો. (વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર)"
PM મોદીએ ટ્વીટર પર લોકોને પૂછ્યો દિલચસ્પ સવાલ
જાણો શું-શું મળ્યા જવાબ
પીએમ મોદીએ આ પ્રશ્ન શેર કર્યો અને લખ્યું- "કોઈ જવાબ છે". પ્રધાનમંત્રી મોદીના આ સવાલ પર લોકો વિવિધ પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક લોકો કન્ટેનરની સંખ્યા જણાવી રહ્યા છે અને કેટલાક લોકો કહે છે કે આ ભારતની અર્થવ્યવસ્થાને પાંખો આપવા માટે પૂરતા છે. કેટલાક લોકો આ કોરિડોર માટે પીએમ મોદીનો આભાર પણ માની રહ્યા છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનને આપી લીલી ઝંડી
આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે પશ્ચિમી સમર્પિત માલવહન ગલિયારાના 205 કિલોમીટર લાંબા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર ખંડને રાષ્ટ્રને સમર્પિત કર્યા અને ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ માટે વિશ્વના પહેલા ડબલ સ્ટેગ લોન્ગ હોલ કન્ટેનર ટ્રેન ઓપરેશનને લીલી ઝંડી આપી છે. વીડિયો કોન્ફરન્સના માધ્મયથી આયોજીત આ સમારોહમાં રેલવે મંત્રી પીયૂસ ગોયલ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નાયારણ આર્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાને આ પ્રસંગને રાષ્ટ્રીય રાજધાની શ્રેત્ર, હરિયાણા અને રાજસ્થાનના ખેડુતો, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ માટે નવી તકો પૂરી પાડનારા ગણાવ્યા અને કહ્યું કે 'સમર્પિત ફ્રેટ કોરિડોર' પૂર્વીય કે પશ્ચિમી, ફક્ત નૂર ટ્રેનો માટે આધુનિક માર્ગ નથી. તેમણે કહ્યું, 'આ દેશના ઝડપી વિકાસના કોરિડોર છે. "
150
— Arvind Kusum BIRTHARE 5658ॐ 🌈 (@ArvindBirthare) January 7, 2021
પ્રધાનમંત્રીએ કેટલાક દિવસ પહેલા પૂર્વી કોરિડોર ન્યૂ ભાઉપુર-ન્યૂ ખુર્જા ખંડની શરૂઆત કરી હતી. તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હવે ત્યાં માલગાડીઓની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ છે. તેમણે કહ્યું- જે રસ્તામાં માલગાડીઓની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક રહી ત્યાં હવે ત્રણ ગણી ઝડપથી માલગાડી ચાલવા લાગી છે. ભારતે પહેલાના મુકાબલે આવી ગતિની જરૂર છે.