PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, ઇન્દિરા બ્રીજ સુધીનો રોડ શો, 3 દિવસના પ્રવાસમાં 22 હજાર કરોડ રૂપિયાના વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે
અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું આગમન
CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલે કર્યું સ્વાગત
વિધાનસભાની ચૂંટણી પહેલા PM મોદી મિશન ગુજરાત પર છે. એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. હવે PM મોદીએ એરપોર્ટથી ઇન્દિરા બ્રીજ સુધી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા છે જ્યાં શાળા માટેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. એરપોર્ટથી ગાંધીનગરના માર્ગો પર બેનર, બેરીકેટર્સ લગાવી દેવાયા છે. PM મોદીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
19 અને 20 એપ્રિલના દિવસભરના PM મોદીના કાર્યક્રમો
19 તારીખે તેઓ સવારે દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનનુ ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજર રહેશે. જ્યાં 22 હજાર કરોડ રૂપિયાના વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ મહાસંમેલનમાં 2 લાખ કરતા વધારે લોકો હાજર રહેશે. ત્યાર બાદ તેઓ જામનગરમાં વિશ્નના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેનાર છે. આ સિવાય મોરેશિયસના PM પ્રવિંદકુમાર જુગનાથ પણ હાજર રહેશે. આપને જણાવી દઈયે કે, આ સેન્ટર માટે ભારત 250 મિલિયન ડોલરનો ખર્ચ કરવા જઈ રહ્યુ છે. 20મી એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પણ પીએમ મોદી હાજરી આપશે.આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં આ સમિટ 20 થી 22 એપ્રિલ સુધી ચાલશે.