પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે. તો ક્યાં લોકો મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને દેશની એકતા બતાવી છે.
કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશમાં આજે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ માટે દિવડા, કેન્ડલ, મોબાઇલ ફ્લેશ અને ટોર્ચ દ્વારા પોતાની એકતા પ્રદર્શિત કરી. દેશની આ એકતા તે લોકોના સમર્થનમાં જે લોકો અટક્યા વગર, થાક્યા વગર કોરોનાના પીડિતોની સેવા કરી રહ્યા છે, અને કોરોના વાયરસને માત આપવા એકજૂટ થયા છે. ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં પણ દિપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે.
કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા
દેશભરમાં લોકોએ દીવડા અને મીણબત્તી પ્રગટાવીને એકતાનો સૌથી મોટો સંદેશ આપ્યો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ આતશબાજી પણ થઇ અને લોકોએ સોશિયલ મીડિયા પર ફોટો પણ ખુબ શેર કર્યા. દેશવાસીઓએ પોતાની એકતા દેખાડી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ, નેતાઓ સહિતના તમામ લોકોએ દીપ પ્રગટાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું દીપ પ્રાગટ્ય
દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ આજે 9 વાગ્યે દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી હતી. ત્યારે તેમણે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેમણે દીવો પ્રગટાવીને પોતાના ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં તેમણે કેપ્શનમાં એક શ્લોક પણ લખ્યો છે. शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પણ દીપ પ્રગટાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ 9 વાગ્યે પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવ્યો છે. તો તેમની સોસાયટી અને આસપાસના લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલ બાદ દીપ પ્રગટાવ્યો હતો.
Gujarat: Mother of PM Modi, Heeraben, lights an earthen lamp after turning off all lights at her residence. India switched off all the lights for 9 minutes at 9 PM today & just lit a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus as per PM's appeal. pic.twitter.com/qPQqXAB6Jf
— Rema Rajeshwari IPS (@rama_rajeswari) April 5, 2020
ગુજરાત CM ઓફીસની તમામ લાઈટ બંધ કરવામાં આવી
ગુજરાતે પણ પીએમની આ વાતનું સમર્થન આપતા ગુજરાત સીએમ ઓફિસની તમામ લાઇટ બંધ કરવામાં આવી છે. મહત્વનુ ંછે કે મુખ્યમંત્રી રૂપાણીએ પણ દિપ પ્રગટાવવા માટે અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે રાત્રે દીપ પ્રજવલિત કર્યા
સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે દેશે આ મહામારી સામે લડવા માટે દિપ પ્રાગટ્ય કરીને એકતા બતાવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2020
સાળંગપુર હનુમાનજી મંદિર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું
બોટાદના સાળંગપુરના હનુમાનજી મંદિરમાં પણ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીની અપીલ બાદ 9 વાગ્યાથી દીવડા પ્રગટાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે.
મુંબઇમાં પણ લોકોએ લાઇટો બંધ કરીને દીપ પ્રાગટ્ય કર્યું, સ્કાયલાઇનનો અદભૂત નજારો જોવા મળ્યો
સમગ્ર દેશમાં હાલ દીપ પ્રાગટ્ય કરીને એકતાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે ત્યારે મુંબઈના સ્કાયલાઇનમાં લોકોએ લાઇટો બંધ કરીને દીવા પ્રગટાવ્યા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2020
વિદેશમાં પણ દીવડા પ્રગાટવવામાં આવ્યા
સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આજે ભારતમાં 9 વાગ્યાથી દેશવાસીઓ દીવડાઓ પ્રગટાવી રહ્યા છે ત્યારે વિદેશમાં પણ પીએમની વાતને સમર્થન આપતા દીવડા પ્રગટાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં લોકોએ લાઇટો બંધ કરીને દીવડા પ્રગટાવ્યા
પ્રધાનમંત્રીની અપીલ બાદ આજે અમદાવાદમાં લોકોએ 9 વાગતાની સાથે જ લાઈટો બંધ કરીને દીપ પ્રજવલિત કર્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2020
પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે સમગ્ર દેશના લોકો રવિવાર રાત્રે 9 વાગ્યે ઘરની લાઈટો બંધ કરીને પોતોના રૂમ અથવા બાલકનીમાં આવે અને દીવડા, કેન્ડલ, મોબાઇલ અને ટોર્ચ દ્વારા કોરોના વિરૂદ્ધ જંગમાં પોતાની એકતા બતાવો.
પ્રધાનમંત્રીની અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ દિવા પ્રગટાવવા માટે તૈયારીઓ કરી નાખી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ રવિવાર રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીને કોરોના ફાઇટરોની સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરે. પીએમની અપીલ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યની જનતાને અપીલ કરી કે તેઓ રાત્રે 9 વાગ્યે દીવડો પ્રગટાવે.