PM નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેન સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર, આજે ફરી પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
યુક્રેન મુદ્દે ભારત સરકારની વધુ એક બેઠક
ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે યથાવત
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ
હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે બન્ને દેશો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક અંદાજિત 3:30 કલાક સુધી ચાલી હતી. તો બીજી તરફ ઑપરેશન ગંગા યથાવત્ છે. અત્યાર સુધીમાં 1400 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા છે. આ વચ્ચે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વની બેઠક યોજવા જઇ રહ્યા છે. સરકારી સૂત્રો પાસેથી મળી માહિતી અનુસાર ANIએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં યૂક્રેન સંકટ પર બીજી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
Prime Minister Narendra Modi to shortly chair another high-level meeting on Ukraine crisis: Govt Sources#RussiaUkraineCrisis
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને ભૂતપૂર્વ આર્મી ચીફ વીકે સિંહ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓના બચાવ કાર્યમાં મદદ કરવા યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે. આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જઈ રહ્યા છે.
Union Ministers Hardeep Singh Puri, Jyotiraditya Scindia, Kiren Rijiju and Gen (Retd) VK Singh to travel to neighbouring countries of Ukraine to coordinate the evacuation mission and help students: Govt sources#RussiaUkraineCrisispic.twitter.com/DbaQ6U47KQ
યુક્રેનથી 249 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થઈ છે. આ ફ્લાઈટે રવિવારે રાત્રે રોમાનિયાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે પરિવારના સભ્યો પોતાના પ્રિયજનોને મળીને ભાવુક થઈ ગયા હતા. તેઓએ તેમના પ્રિયજનોનું ફૂલો અને ગુલદસ્તાથી સ્વાગત કર્યું.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ
તે જ સમયે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. પરંતુ બંનેમાંથી એક પણ દેશ ઝૂકવા તૈયાર નથી. રશિયાની સેનાનો 5 કિલોમીટર લાંબો કાફલો યુક્રેનની રાજધાની કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. રશિયન સેના કિવ પર કબજો કરવાની તૈયારી કરી રહી છે.