PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી 3જી જાન્યુઆરીથી બાળકોને માટે વેક્સીનેશન શરૂ થશે. જ્યારે 10મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને બુસ્ટર ડોઝ અપાશે
પીએમ મોદીએ ઓમિક્રોનથી સાવધાન રહેવાની અપીલ કરી
3જી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના લોકોને વેક્સિશન અપાશે
ભારતે અત્યાર સુધીમાં 141 કરોડ રસીના ડોઝના અભૂતપૂર્વ અને ખૂબ મુશ્કેલ લક્ષ્યને પાર કર્યુ છે
પીએમ મોદીએ 25મી ડિસેમ્બર,2021ના રોજ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર દેશનું સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ડ્રાઈવની જાહેરાત કરી હતી. તેમણે ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આવી પરિસ્થિતિઓમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે તેવી અપીલ પણ કરી હતી. તેમણે એ પણ કહ્યું ભારતે અત્યાર સુધીમાં 141 કરોડ રસીના ડોઝના અભૂતપૂર્વ અને ખૂબ મુશ્કેલ લક્ષ્યને પાર કર્યુ છે
પીએમ મોદીએ વેક્સીનેશનનો સમગ્ર રોડમેપ રજૂ કર્યો હતો.
તેમણે જાહેરાત કરી કે આગમચેતીની દ્રષ્ટિથી સરકારે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો બુસ્ટર ડોઝ(પ્રીકૉશન ડોઝ) આપવાનો નિર્ણય લીધો છે. જેની શરૂઆત 2022માં 10 જાન્યુઆરી સોમવારના દિવસથી કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા સૌનો અનુભવ છે કે જે કોરોના વોરિયર્સ છે, હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ છે, આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં તેમનું મોટું યોગદાન છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાના બહુ સમય વિતાવે છે.
10 જાન્યુઆરીથી કો-મૉરબિડિટીવાળા નાગરિકોને પણ અપાશે પ્રીકૉશન ડોઝ
પીએમ મોદીએ કહ્યું કે, 60 વર્ષથી ઉપરની ઉંમરના કો-મૉરબિડિટીવાળા નાગરિકોને તેમના ડૉક્ટરની સલાહ પર વેક્સિનનો પ્રિકૉશન ડોઝનો વિકલ્પ ઉપલબ્ધ થશે. આ ઑપ્શન પણ 10 જાન્યુઆરીથી જ મળશે. 3 જાન્યુઆરીથી બાળકોને
વેક્સિન આપવાની થશે શરૂઆતઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ બાળકોના વેક્સીનેશનનું પણ એલાન કર્યું છે. 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચેના બાળકોનું વેક્સીનેશન શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે, 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચે જે બાળકો છે, તેમના માટે હવે દેશમાં વેક્સીનેશનની શરૂઆત થશે. આગામી વર્ષ એટલે 2022માં 3 જાન્યુઆરીએ સોમવારના દિવસથી આની શરૂઆત થઇ જશે.
દેશના લોકોને ટૂંક સમયમાં નોઝલ વેક્સિન મળશેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણાં દેશના લોકોને જલ્દીથી નોઝલ વેક્સિન અને DNA વેક્સિનનો લાભ પણ લઈ શકશે.