દેશના 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીવાના પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજના અંગે જણાવ્યું હતું. જાણો શું છે આ મિશન જેમાં કેન્દ્ર સરકાર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે આજે દેશમાં અડધાથી વધારે ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના જીવનનો મોટો ભાગ પાણી લાવવામાં વ્યથિત થઇ જાય છે. કેન્દ્ર સરકારે દરેક ઘરમાં પાણી, પીવાનું પાણી લાવવાનો સંકલ્પ કર્યો છે.
સરકાર આવનાર દિવસોમાં જળ જીવન મિશન પર આગળ વધશે. જેના માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે મળીને કામ કર કરશે. સાડા ત્રણ લાખ કરોડથી વધારે આ મિશનમાં ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે.
The movement towards water conservation has to take place at the grassroots level. It cannot become a mere Government programme. People from all walks of life have to be integrated in this movement: PM @narendramodi
જળ મિશન અંગે
પીએમ મોદીએ કહ્યું કે વરસાદના પાણીને રોકવા, દરિયાનું પાણી, માઇક્રો ઇરિગેશન, પાણી બચાવ અભિયાન, સામાન્ય નાગરિક સચેત થાય, બાળકોને પાણીને લઇને સમજણ આપવામાં આવે. વડાપ્રધાન મોદીએ લોકોને ભરોસો આપતાં કહ્યું કે 70 વર્ષમાં જે કામ થયા છે તેના કરતાં આવનાર પાંચ વર્ષમાં પાંચ ગણા વધારે કામ થાય તેવો પ્રયાસ કરવાનો છે.
પીએમ મોદીએ પાણીને લઇને તિર્થધામ મહુડીનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે બુદ્ધિસાગર મુનિએ 100 વર્ષ પહેલા પાણીને લઇને ભવિષ્યવાણી કરી હતી. મહુડીના સંત બુદ્ધિસાગર મુનિએ કહ્યું કે એક દવિસ પાણીનું વેચાણ થશે. પાણીની સમસ્યાને લઇને પીએમ મોદીએ 100 વર્ષ પૂર્વેની ભવિષ્યવાણી યાદ કરી હતી.આજે આપણે દુકાનમાંથી પાણી ખરીદી રહ્યાં છીએ. પીએમ મોદીએ કહ્યું કે જળ સંચયનું અભિયાન સરકારી ન બનવું જોઇએ, જનતાનું અભિયાન બનવું જોઇએ.