કહ્યું દેશના દરેક નાગરિકને ઘર આપવાનું સરકારનું અભિયાન
સરકારની સૌથી મોટી અગ્રિમતા દરેક નાગરિકને જરુરી સુવિધા આપવાનું છે
કેરળમાં યોજના પર સરકાર 1 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે
કેરળના કોચમાં એક રેલીને ઓનલાઈન સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા જ દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આઝાદીનો અમૃત કાળ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર કામ કરવાનું છે અને કેરળના મહેનતુ લોકોની આમાં મોટી ભૂમિકા છે.
कुछ दिन पहले ही देश ने आजादी के 75 वर्ष पूरे किए हैं। आजादी का अमृत काल देश को विकसित राष्ट्र बनाने के संकल्प पर काम करने का है और इसमें केरल के परिश्रमी लोगों की बहुत बड़ी भूमिका है: कोच्चि में जनता को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/XUvz90rI2l
ગરીબ, દલિત, પીડિત, વંચિતને દરેક સુવિધા પૂરી પાડવી છે
પીએમ મોદીએ કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને ભાજપ સરકાર મોટા સંકલ્પોને સિદ્ધિમાં ફેરવી રહી છે. કેન્દ્ર સરકારની ટોચની પ્રાથમિકતા ગરીબ, દલિત, પીડિત, વંચિત, આદિવાસીઓને પાયાની સુવિધાઓ પૂરી પાડવાની છે.
सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए भाजपा की सरकार बड़े संकल्पों को सिद्धि में बदल रही है। केंद्र सरकार की सर्वोच्च प्राथमिकता गरीब, दलित, पीड़ित, वंछित, आदिवासी सभी तक मूलभूत सुविधाओं को पहुंचाने की है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/9BrGMKebXz
દરેક ગરીબને પાકું ઘર આપવાનું સરકારનું અભિયાન
પીએમ મોદીએ કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્રમાં એનડીએ સરકાર કેરળના લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમારી સરકાર દેશના દરેક ગરીબને પાકું ઘર આપવાનું અભિયાન ચલાવી રહી છે. પીએમ આવાસ યોજના હેઠળ કેરળના ગરીબો માટે લગભગ બે લાખ પાકાં મકાનો પણ મંજૂર કરવામાં આવ્યા છે.
भाजपा के नेतृत्व में चल रही केंद्र की NDA सरकार केरल के लोगों की आवश्यकताओं और आकांक्षाओं के प्रति बहुत ही संवेदनशील है। हमारी सरकार देश के हर गरीब को पक्का घर देने का अभियान चला रही है। PM आवास योजना के तहत केरला के गरीबों के लिए भी लगभग दो लाख पक्के घर स्वीकृत किए गए हैं: PM
દરેક જિલ્લામાં એક-એક મેડિકલ કોલેજ ખોલવા પર ભાર
પ્રધાનમંત્રી મોદીએ એવું પણ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવા પર ભાર આપી રહી છે. આ યોજનાથી કેરળના યુવાનોને ઘણો ફાયદો થશે. આઝાદીના અમૃતમાં દેશ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ ભાર મૂકી રહ્યો છે. કેન્દ્ર સરકાર કેરળમાં ઘણી યોજનાઓ પર લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.