PM મોદીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદોને કડક આદેશ આપી દીધા છે, PM મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે સાંસદો એ સંસદમાં તો હાજર રહેવું જ પડશે. મીડિયા અહેવાલ અનુસાર PM મોદીએ ફરી કડક શબ્દોમાં ટકોર કરતાં આદેશ આપ્યા છે કે સદનની કાર્યવાહી સમયે તે હાજર રહે, આ ઉપરાંત જે સાંસદો સતત ગેરહાજર રહે છે તેમની સામે PM મોદીએ નારાજગી પણ વ્યક્ત કરી છે. આટલું જ નહીં જે સાંસદો રાજ્યસભામાં નાણાં મંત્રાલયનાં બીલ રજૂ થયા ત્યારે ગેરહાજર હતા તેમની લીસ્ટ પણ મંગાવી લેવામાં આવી છે.
PM મોદી લાલઘૂમ
નોંધનીય છે કે PM મોદીએ પોતાના કાર્યકાળમાં અનેક વાર સાંસદોને હાજરીને લઈને ટકોર કરી છે. આ પહેલાનાં સત્રમાં પણ આવા જ મીડિયા અહેવાલ આવ્યા હતા જેમાં PM મોદીએ કડક શબ્દોમાં સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે આદેશ આપ્યા હોય. એવામાં આ વખતે PM મોદી વધારે નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ મુદ્દે PM મોદીએ આપ્યા નિર્દેશ
નોંધનીય છે કે આ બેઠકમાં PM મોદીએ આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પર પણ ચર્ચા કરી હતી. PM મોદીએ કહ્યું કોઈ ગરીબ પરિવાર આ કાર્ડનાં ફાયદામાંથી બહાર ન રહી જવો જોઈએ. સાંસદો આ કાર્ડનાં ફાયદા માટે મિશન મોડમાં કામ કરે અને તે માટે અભિયાન ચલાવે.
ક્યો મોટો નિર્ણય લેવાયો?
નોંધનીય છે આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેને રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. મોદી સરકારનાં નવા મંત્રીઓ હવે પોતાની જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે.