પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ શેર બહાદુર દેઉબા આજે ભારત નેપાળ વચ્ચે રેલ સેવાનું ઉદ્ધાટન કર્યું છે
ભારત અને નેપાળ વચ્ચે આજથી રેલ સેવા શરૂ
પીએમ મોદી અને નેપાળના પીએમ લીલીઝંડી આપશે
આજે કર્યું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ શેર બહાદુર દેઉબા આજે ભારત નેપાળ વચ્ચે રેલ સેવાનું ઉદ્ધાટન કર્યું છે. આ રેલ સેવા જયનગર બિહાર અને કુર્થા, જનકપુર (નેપાળ)ની વચ્ચે ચાલશે. દિલ્હીના હૈદરાબાદ હાઉસથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બંને નેતાઓએ લીલી ઝંડી આપીને રેલ રવાના કરશે. ભારત-નેપાલની વચ્ચે આ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને બ્રોડ ગેઝ રેલ લાઈન છે. જેને ફર્સ્ટ ફેઝ એટલે કે, જયનગર, બિહાર અને કુર્થા, જનકપુરની લંબાઈ 34.5 કિમી છે. જેનું આજે ઉદ્ધાટન કર્યું છે .
Delhi | PM Narendra Modi & Nepal PM Sher Bahadur Deuba jointly inaugurate cross-border passenger train services between Jaynagar (India) and Kurtha (Nepal) built under India's Grant Assistance.
તો વળી બાકી વધેલા 34.58 કિમી લાંબા રેલ સેક્શનની પણ ટૂંક સમયમાં શરૂઆત થશે, જે બર્દિબાસ, નેપાલ સુધી જશે. રેલ લાઈન પ્રોજેક્ટની 2.95 કિમી લંબાઈ ભારતમાં અને 65.75 નેપાળમાં છે. પૂર્વી મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી બીરેન્દ્ર કુમાર જણાવે છે કે, આ રેલ લાઈન નેપાળના જનકપુર ધામ જનારા શ્રદ્ધાળુઓ માટે અત્યંત સુવિધાજનક રહેશે. સેવાઓ શરૂ થયા બાદગ યાત્રા અત્યંત સરળ બની જશે. સાથે જ વેપારને પણ પ્રોત્સાહન મળશે. પર્ટયન વધશે અને સીમાવર્તી ક્ષેત્રમાં વિકાસને પણ બળ મળશે.
PM Narendra Modi & Nepal PM Sher Bahadur Deuba jointly flag off the inaugural run of the cross-border passenger train services between Jaynagar (India) and Kurtha (Nepal). pic.twitter.com/WvsYvQgEKu
જયનગર, ભારત અને બૈઝલપુર, નેપાળની વચ્ચે પ્રથમ રેલ સેવા 1937માં શરૂ થઈ હતી.શરૂઆતના સમયમાં આ રેલ લાઈન નૈરગેઝ હતી, 2001માં નેપાળમાં આવેલા પૂરથી સેવાઓ ઠપ થઈ ગઈ હતી, પણ જયનગર અને જનકપુરની વચ્ચે માર્ચ 2014 સુધી રેલ સેવા ચાલુ રહેશે. આઠ વર્ષની લાંબી રાહ જોયા બાદ બંને દેશ ફરી એક વાર રેલ લાઈનથી જોડાશે.
જયનગર અને જનકપુર રેલ સેક્શનની ખાસિયત
આ રેલ સેક્શનના રૂટ પર કુલ 8 સ્ટેશન અને 6 હોલ્ટ સ્ટેશન હશે. સાથે જ 47 રોડ ક્રોસિંગ, 18 મોટા પુલ અને 127 નાના પુલ હશે. રૂટ પર પેસેંજર ટ્રેની 100 કિમી પ્રતિ કલાક અને માલ ગાડીની 65 કિમની પ્રતિ કલાકની સ્પિડ નક્કી કરવામાં આવી છે.
જૂલાઈન 2021માં ભારતીય રેલે સ્પિડ ટ્રાયલ કરી હતી અને ઓક્ટોબર મહિનામાં આ સેવાઓ માટે સુરક્ષિત ઘોષિત કરી હતી. આ રેલ સેક્શન પર ટ્રેન ભારતમાં બિહારના મધુબની જિલ્લા અને નેપાળના ધનુષા, મહોત્તરી અને સિરહાથી થઈને પસાર થશે.