વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશ વચ્ચે પાંચ સમજુતી પર કરાર કરવામાં આવ્યાં છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પુલવામા હુમલા મુદ્દે પણ આ બેઠકમાં વાતચીત કરવામાં આવી. સાઉદી અરબ અને ભારત આતકંવાદી કટ્ટરવાદ પર એકસમાન વિચાર રાખે છે.
સાઉદી અરબના પ્રિન્સે દ્વિપક્ષીય બેઠક બાદ કહ્યું કે આતંકવાદ મુદ્દે અમે ભારતની સાથે છીએ. બંને દેશ વચ્ચે પાંચ સમજૂતિ પર કરાર કરવામાં આવ્યાં છે. જેમાં નેશનલ ઇન્વેસ્ટર ફંડમાં રોકાણ ટૂરિઝમ હાઉસિંગ કોર્પોરેશન બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં સમજૂતિ કરાઇ છે. આ સિવાય સાઉદીના પ્રિન્સ હવે ઇન્ટરનેશનલ સોલાર અલાઇન્સમાં સામેલ થશે.
સઉદી આરબના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહોમ્મદ બિન સલમાને દ્વિપક્ષીય વાતચીત કરી હતી જેમાં આતંકવાદ મુદ્દે બન્ને વચ્ચે વાતચીત થઈ.
આ દ્વિપક્ષીય વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને સઉદી અરબના સંબંધો ઘણા જૂના છે. PMએ કહ્યું કે આતંકવાદના ખાત્મા માટે બન્ને દેશ સહમત છે અને UAEએ તેનું સમર્થન કર્યું છે. આ સાથે જ આતંકવાદીઓના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
આ મામલે પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને કહ્યું કે આતંકવાદનો ખાતમો અને તેની વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે. પુલવામા હુમલો માનવતા પર હુમલાની ક્રુર નિશાની છે.