નવી દિલ્હીઃ અસત્ય પર સત્યની જીતનું પ્રતીક દશેરા પર્વ આજે સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવા જઇ રહ્યું છે. ત્યારે દરવર્ષની જેમ દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં વિશાળકાય રાવણના પુતળાનું દહન કરાયું છે.
મહત્વનું છે કે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દશેરા મનાવવા પહોંચ્યા હતા. અહીં રાવણ દહનનો કાર્યક્રમ ઐતિહાસિક લવકુશ રામલીલા કમિટી દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે દેશના મોટા નેતા સામેલ હોય છે.
PM મોદી તીર છોડીને કર્યું રાવણ દહન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા રામલીલા મેદાનમાં રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતિકાત્મક તીર છોડીને તેનો વધ કર્યો. જો કે પીએમ મોદી આ વર્ષે ત્રીજી વાર દિલ્હીમાં દશેરા મનાવ્યા.
દિલ્લીના રામલીલા મેદાન પર રાવણ દહન કાર્યક્રમમાં પહોચ્યા PM મોદી
લાલકિલ્લામાં આયોજીત રામલીલામાં પ્રતિકાત્મક તીર છોડીને તેઓ રાવણનો વધ કર્યો.
LIVE : PM Modi at Vijaya Dashamai celebrations at Ramlila Maidan in Delhi. https://t.co/52tepLmVB9