સૌરાષ્ટ્રના કદાવર એવા સક્ષમ ખેડૂત નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. જેઓએ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઘણા લાંબા સમયથી બિમાર હોવાથી છેલ્લાં 2 વર્ષથી ઝાયડસ હોસ્પિટલમાં જ રહ્યાં હતા. ત્યારે તેમનાં નિધનથી PM મોદી સહિતનાં અનેક દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
સૌરાષ્ટ્રના કદાવર કહેવાતા એવા સહકારી નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. પોરબંદરના પૂર્વ સાંસદ અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ ચેરમેન વિઠ્ઠલ રાદડિયાએ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હોવાથી છેલ્લાં 2 વર્ષથી ઝાયડસ હોસ્પિટલમાં જ રહ્યાં હતા.
વિઠ્ઠલભાઈના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે આવતી કાલના મંગળવારનાં રોજ સવારના 7થી બપોરના 12 વાગ્યા સુધી તેમના મુળ વતન જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે રાખવામાં આવેલ છે. તેમની સ્મશાન યાત્રા મંગળવાર બપોરના 1 કલાકનાં નિવાસસ્થાનેથી પટેલ ચોક જામકંડોરણાથી નીકળશે.
વિઠ્ઠલ રાદડિયાના અવસાન બાદ અનેક દિગ્ગજ નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. ત્યારે જોઇએ કે કોણે કોણે તેમના નિધનને લઇ દુઃખ વ્યક્ત કર્યુ છે.
નરેન્દ્ર મોદીઃ
PM મોદીએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વિટ કરીને જણાવ્યું કે, પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળીને દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.
લોકનેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મુખ્યમંત્રીએ ટ્વિટમાં લખ્યું કે, ભાજપના દિગ્ગજ નેતાના અવસાનથી દુઃખ થયું છે.
Saddened by the demise of senior BJP leader Shri Vitthalbhai Radadiya. I express my deepest condolences to his family and friends.
ખેડૂત નેતા કહેવાતા એવા ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું નિધન થતાં ડે.સીએમ નીતિન પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે, અમે અમારા નેતા ગુમાવ્યા છે. વિઠ્ઠલ રાદડિયા ઘણા સમયથી બિમાર હતાં. ખેડૂતોના પ્રશ્નો માટે અગ્રેસર રહેતા હતાં. ખેડૂતોની લોનનું વ્યાજ ઓછું લેવું તેવી યોજના પણ તેમને અમલમાં મૂકી હતી. વિઠ્ઠલભાઇ મક્કમતાથી કામ કરનારા નેતા હતાં.
Deeply saddened by the demise of senior BJP leader Shri Vitthalbhai Radadiya. My thoughts are with his family. May his soul get eternal peace.
Om Shanti... pic.twitter.com/nGXFdhr1q3
વિઠ્ઠલ રાદડિયાના નિધન પર જીતુ વાઘાણીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. જીતુ વાઘાણીએ કહ્યું કે, ભાજપે એક મોટા નેતા અને ખેડૂત સહકારી નેતા ગુમાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી વિઠ્ઠલ રાદડિયા બિમાર હતા. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પી તેઓએ કહ્યું કે, વિઠ્ઠલભાઇનું શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે.
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દુઃખદ અવસાન અંગે ઊંડા દુઃખ અને શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલિ અર્પુ છું. ભાજપે એક મોટા નેતા અને ખેડૂત સહકારી નેતા ગુમાવ્યા છે. તેઓશ્રી નું જાહેર જીવન, સામાજિક સેવા અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન ચિરંજીવ રહેશે.
વિઠ્ઠલભાઇ રાદડિયાના નિધનને લઇ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, 'મે મારા સાથી અને સારા મિત્રને ગુમાવ્યા.'
અલ્પેશ ઠાકોરઃ
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વિઠ્ઠલભાઇ રાદડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કરીને વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી છે.
વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે, ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના... ઓમ શાંતિ... pic.twitter.com/MAaQ1TcPPJ
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાર્દિક પટેલે કહ્યું કે, વિઠ્ઠલ રાદડિયાની ગેરહાજરીમાં રાજકારણ અધુરું છે.
गुजरात की सामाजिक एवं राजनीति जीवन के क़द्दावर नेता श्री विट्ठलभाई रादडिया जी के निधन का समाचार दुःखद हूँ। मैं प्रार्थना करता हूँ कि ईश्वर उनकी आत्मा को शांति एवं शोकाकुल रादडिया परिवार को संबल प्रदान करे। श्री विट्ठलभाई की ग़ैर मौजूदगी में गुजरात की राजनीति सुनी रहेंगी। ॐ शांति
પૂર્વ સાંસદ અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધનના સમાચાર જાણીને ખૂબ દુ:ખ થયું. ભગવાન દ્વારકાધીશ તેમની આત્માને શાંતિ આપે.
Deeply saddened to know about the sad demise of former #Loksabha MP and the strong leader of #Saurashtra Shri Vitthalbhai Radadiya. May Lord Dwarkadheesh bless the departed soul with eternal peace. My feelings are with the bereaved family. @ijayeshradadiyapic.twitter.com/dB2uYvl7lp
વિઠ્ઠલ રાદડિયાના નિધનને લઇ દિલીપ સંઘાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, હું ઘણા સમયથી વિઠ્ઠલભાઇ સાથે પરિચયમાં હતો. મને ભાજપમાં રહી સાથે રામ કરવાની તક મળી છે. વિઠ્ઠલભાઇ હંમેશા ખેડૂતોના નિર્ણય લેતા હતા અને ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાનો નિર્ણય પણ વિઠ્ઠલભાઇએ જ કર્યો હતો.