પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCO સંમેલનમાં સામેલ થવા માટે ઉઝ્બેકિસ્તાન જશે. જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને PM મોદી વચ્ચે મુલાકાત થશે.
ઉઝબેકિસ્તાનની રાજધાની SCO સમિટ યોજાશે
વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે
સરહદી તણાવને ઉકેલવાનનો પ્રયાસ કરવામાં આવી શકે છે
ઉઝબેકિસ્તાનની રાજધાનીમાં 16 સપ્ટેમ્બરે શંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર શિખર સંમેલનનું આયોજન સમરકંદમાં કરવામાં આવી રહ્યું છે.જેમાં પૂર્વી લદ્દાખમાં લગભગ 28 મહિના સુધી ચાલેલા સરહદી તણાવને ઉકેલવાનનો પ્રયાસ કરવામાં આવી શકે છે. ચીને કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો હટાવવાની સંમતિ ભલે દર્શાવી હોય પણ મુલાકાત દરમિયાન સરહદી તણાવના આ મુદ્દો મૂકવામાં આવશે.આશરે 34 મહિનાબાદ વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોના નેતાઑ મળશે. વધુમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચશે.
શિખર સંમેલન સિવાય દ્વિપક્ષીય બેઠકની સંભાવના
શિખર સંમેલન દરમિયાન પ્રવાસ કરનાર પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન સિવાય દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી સંભાવના છે. આ સંગઠનમાં આઠ દેશ સામેલ છે. જેમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તઝાકિસ્તાનનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે 2019માં બ્રાઝીલમાં બ્રિક્સ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગની મુલાકાત થઈ હતી. ત્યારબાદ 2020માં સરહદ પર તણાવ વધ્યા બાદ નેતાઓ વચ્ચે મુલાકાત થઈ નથી. શિખર સંમેલન દરમિયાન નેતાઓ દ્વારા છેલ્લા બે દાયકામાં સંગઠનની ગતિવિધિઓની સમીક્ષા કરવા અને રાજ્ય અને ભવિષ્યમાં બહુપક્ષીય સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરવાની આશા છે.
મોદી-જિનપિંગ બેઠકમાં સરહદી તણાવનો વિષય ચર્ચાનો મુખ્ય મુદ્દો બની શકે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2019 માં મમલ્લાપુરમમાં શિખર સંમેલન બાદ મોદી-જિનપિંગ બેઠકમાં સરહદી તણાવનો વિષય ચર્ચાનો મુખ્ય મુદ્દો બની શકે છે. પૂર્વ લદ્દાખના વિસ્તારમાં ચીનના આક્રમક બેરિકેડ અને ગાલવાન જેવી ઘટના બાદ બંને દેશોના સૈનિકો લગભગ 28 મહિના સુધી ઘણા વિસ્તારોમાં સામ-સામેની પરિસ્થિતિમાં રહ્યા. મે 2020 માં, ભારતમાં કોરોના સંકટ વેળાએ ચીની સેના પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક બેરિકેડને મજબૂત કરવામાં વ્યસ્ત હતી. જેનું પરિણામ અથડામણમાં ફેરવવાનું હતું એન અથડામણમાં 15 જૂને બંને સૈનિકોના મુકાબલામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, ચીને આના કરતા ઘણું વધારે સહન કરવું પડ્યું હતું. આ મામલાને ઉકેલવા માટે બને દેશના આગેવાનોની વાતચીતના 16 રાઉન્ડ પણ યોજાયા. લગભગ 28 મહિના પછી, ચીને ગોગરા અને હોટ સ્પ્રિંગના PP15માંથી તેના સૈનિકોને પાછા ખેંચવા માટે સંમતિ આપી છે.
ચીનની કંપનીઓ માટે ભારતીય બજારમાં ટકવું પણ સમસ્યા સમાન
જિનપિંગ આર્થિક મંદીના પડકાર વચ્ચે ભારત જેવા મોટા બજારને ગુમાવવાના જોખમને ટાળવા માટે પણ પ્રયાસ કરવા માંગશે.આંકડાઑ અનુસાર ભારત સાથેના સરહદી તણાવ વચ્ચે ચીનને માત્ર દ્વિપક્ષીય વેપારમાં જ નુકસાન થયું નથી. પણ ચીનની કંપનીઓ માટે ભારતીય બજારમાં ટકવું પણ સમસ્યા સમાન બન્યું છે.