રાજ્યસભામાંથી આજે જમ્મૂ કાશ્મીરના ચાર સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે વિદાય ભાષણમાં આતંકવાદી ઘટનાને યાદ કરીને પીએમ મોદી અને ગુલામ નબી આઝાદ રડી પડ્યા હતા.
સંસદમાં ભાવુક ક્ષણ, દરેકના હૈયા થઈ ગયા ભારે
કાશ્મીરની એ ભયંકર ઘટના જેમાં ગુજારતીઓના થયા હતા મોત
જીવનમાં પાંચ વાર રડ્યો જેમાં એક ગુજરાતની ઘટના : આઝાદ
શું કહ્યું પીએમ મોદીએ
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગુલામ નબી જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. હું ગુજરાતનો સીએમ હતો ત્યારે જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ગુજરાતી યાત્રિકોના મોત થયા હતા. તત્કાલિન જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મને ફોન કર્યો હતો. ફોન પર ગુલામ નબી સાહેબ રડી પડ્યાં હતા. પીએમ મોદીએ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદનની ભરપુર પ્રશંસા કરી. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે દેશ માટે પણ વિચારતા હતા. તેમની જગ્યા ભરવી મુશ્કેલ રહેશે. આજરોજ રાજ્યસભામાં કુલ ચાર સાંસદોની વિદાય થઇ રહી છે. જેમાં ગુલામ નબી આઝાદ સિવાય મીર મહોમ્મદ, શમશેર સિંહ અને નાઝિર અહમદ આજે રાજ્યસભામાંથી વિદાય લઇ રહ્યાં છે.
#WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT
એ દિવસની ધૂંધળી યાદ જેમાં નિર્દોષ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા
એ દિવસ 25મી મે નો હતો જ્યારે કશ્મીરમાં ગુજરાતીઓ આતંકીઓના નિશાન બન્યા હતા. સુરતથી યાત્રાળુઓની બસ જમ્મૂ-કશ્મીરના પ્રવાસે ગઈ હતી અને બરાબર એ જ દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંઘે શાંતિ માટે કોન્ફરન્સ કરી હતી. શ્રીનગરથી 12 કિલોમીટર દૂર બાટાપોરા વિસ્તારથી બસ પસાર થઈ રહી હતી અને મનમોહનસિંઘની શ્રીનગરમાં કોન્ફરન્સના કારણે બસે વૈકલ્પિક રૂટ પર જવાની ફરજ પડી. જે મુખ્ય રસ્તો હતો તે હુર્રિયત અને મનમોહનસિંઘની વાર્તા માટે રોકી દેવામાં આવ્યો હતો જેથી બસ બાટાપોરા પહોંચી અને આતંકીઓને હેન્ડ ગ્રેનેડ ફેંકીને પોતાના ઈરાદા પાર પાડી દીધા.
ઘટનાના સાક્ષીએ વર્ણવી ભાયાવહ યાદો
મોદીને ફોન કરીને રડી પડ્યા હતા આઝાદ
બસમાં પડેલા હેન્ડ ગ્રેનેડથી 10 લોકોને ગંભીર ઈજા થઈ 10માંથી 5 લોકોના મોત થયા હતા. 5 લોકોમાંથી 4 પ્રવાસીઓ ગુજરાતના હતા અને મોત પામનારામાં 3 બાળકો પણ હતા. તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા અને કશ્મીરનું સુકાન ગુલામ નબી આઝાદ પાસે હતું. આખું ગુજરાત સાંજે આવેલા આ સમાચારથી પીડા અનુભવી રહ્યું હતું ત્યારે ઘટના પછી ખૂબ ભારે હ્રદયે ગુલામ નબીએ નરેન્દ્ર મોદીએ ફોન કર્યો. ફોન પર નરેન્દ્ર મોદી સાથે વાત કરતા ગુલામ નબી આઝાદ રડી પડ્યા હતા. નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલા ગુજરાતી પ્રવાસીઓ માટે ગુલામ નબી પાસે મદદ માગી અને કહ્યું કે જો વાયુસેનાના વિમાનમાં પ્રવાસીઓને ગુજરાત લાવી શકાય તો મદદ થાય.
ઘટનાને વાગોળીને સંસદમાં ભાવુક થઈ ગયા ગુલામ નબી
સંસદમાં ગુલામ નબી આઝાદ જ્યારે સંબોધન કરવા ઊભા થયા તો તેમણે કહ્યું કે મારા માતા પિતાનું નિધન થયું પણ ત્યારે હું ચીસો પાડી ન રડ્યો. તેમણે કહ્યું હું માત્ર પાંચ વાર જ ચીસો પાડીને રડ્યો. તેમણે કહ્યું કે સંજય ગાંધી, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની મોત તથા ઓડિશાની સુનામી અને તે બાદ ગુજરાતના યાત્રિકોની મોતમાં જ હું ચીસો પાડીને તેઓ રડ્યા. ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યારે હું એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે નાના બાળકો જેમાં ઘણાએ માતા અને પિતાનું મોત થઈ ગયું હતું અને તે બાળકો મને વળગીને રડી પડ્યા ત્યારે હું પણ જોરથી રડ્યો કે હું આ બાળકોને શું જવાબ આપું.