કોરોના વાયરસને લડવા માટે આત્મનિર્ભર અભિયાન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના દ્વારા થયેલી ઇકૉનોમીને તેજી આપવાની જાહેરાતની પ્રશંસા કરી.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતોથી વ્યવસાયો વિશેષકર એમએસએમઇ (MSMEs)ની સમસ્યાને દૂરને કરવા માટે એક લાંબો રસ્તો નક્કી કરશે. જાહેર કરેલા પગલા લિક્વિડિટીને પ્રોત્સાહન આપશે, ઉદ્યમોને સકશક્ત બનાવશે અને તેમની પ્રતિસ્પર્ધી ભાવનાને મજબૂત કરશે.
Today’s announcements by FM @nsitharaman will go a long way in addressing issues faced by businesses, especially MSMEs. The steps announced will boost liquidity, empower the entrepreneurs and strengthen their competitive spirit. #AatmaNirbharBharatAbhiyan
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પીએ નરેન્દ્ર મોદી અને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને COVID 19 ની સ્થિતિનો સામનો કરવા માટેના અભૂતપૂર્વ પગલાની મદદથી એમએસએમઇ (MSMEs)ને મદદ કરવા માટે આભાર માનું છે. આ પીએ મોદીએ અમારી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરીને, નાના વેપારીને મદદ કરી અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ઘતા દેખાડે છે.
I thank PM @narendramodi and FM @nsitharaman for these unprecedented steps, targeted at assisting MSMEs, cope with challenges of COVID-19.
It reflects PM Modi’s commitment to revive our economy, help small businesses and boost employment. #AatmaNirbharBharatAbhiyan
આ સિવાય ભાજપના જેપી નડ્ડાએ ટ્વીટ કરીને પીએમ મોદી અને નિર્મલા સીતારમણજીના આ સમગ્ર પેકેજ અને ભારતને આત્મનિર્ભર ભારત બનવા માટે વ્યાપક પગલા લેવા માટે આભાર માનું છું. આ કપરી પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમા અમારી પાસે દયાળુ અને ઉત્તરદાયી સરકાર છે.
આ સિવાય ઇકોનોમિક પેકેજ પર કેન્દ્રીય મંત્રીએ નીતિન ગડકરી કહ્યુ કે, અમારી ખાદી અને ગ્રામોદ્યોગ વિકસિત કરવાની આવશ્યકતા છે કેમકે પાછળ પડી ગયેલા ક્ષેત્રોમાં સૌથી વધારે રોજગારી છે. આજ કારણે ઘણા ઓર્ડર ગાવના ઉદ્યોગો, ખાદી ઉદ્યોગોને વધારે રોજગાર મળશે. આ સિવાય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો.