તેમણે દેશભરમાં NRC લાગુ કરવાને લઇને કહ્યું કે ભારત બધા માટે છે. આ ભારત કોઈની જાગીર નથી. સૌનો સમાન અધિકાર છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી પોતે જ ઘૂસણખોર છે.
અધીર રંજને કહ્યું કે મોદી-શાહનું ઘર ગુજરાત છે અને દિલ્હી માઈગ્રન્ટ થઈને આવી ગયા છે. કાયદેસર કે ગેરકાયદેસર વિશે બાદમાં ખબર પડશે. એનઆરસીના કારણે દેશભરમાં ડરનું વાતાવરણ ઉભું થયું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ) લાગૂ કરવાની વાત કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આસામ બાદ સમગ્ર દેશમાં NRC લાગૂ કરવાનો વાયદો કર્યો છે.
મુસ્લિમોને ભગાડવાની હિમ્મત નથી
એએનઆઇ સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તેઓ દેખાડવા માંગે છે કે મુસ્લિમોને ભગાડવા માંગે છે. મુસ્લિમોને ભાડવાની હિમ્મત નથી. મુસ્લિમ આપણા દેશના નાગરિક છે, ભાગશે શું કામ? ભારત બધા માટે છે, હિન્દુ માટે છે, મુસ્લિમ માટે પણ છે. સૌના સહયોગથી ભારત બન્યું છે. પરંતુ તેઓ એ દેખાડવા માંગે છે કે અમે હિન્દુઓને રહેવા દઇશું, મુસ્લિમોને ભગાડીશું.
#WATCH Congress leader Adhir Ranjan Chowdhury:.. Hindustan sab ke liye hai, ye Hindustan kisi ki jageer hai kya? Sabka samaan adhikaar hai. Amit Shah ji, Narendra Modi ji aap khud ghuspetiye hain. Ghar aapka Gujarat agaye Dilli, aap khud migrant hain. pic.twitter.com/zrCaSfPF7v