પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે દિલ્હીમાં ભાજપના મુખ્ય મથક પહોંચ્યા હતા. ઓફિસ દ્વારા તેમની બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની સૂચિ પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને લઇને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની આ બીજી બેઠક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક
બિહારની ચૂંટણી મુદ્દે ચર્ચા
નોંધનીય છે કે, આ અઠવાડિયે ભાજપે ઔપચારીક રીતે વિક્રમશીલ ઈન્સાન પાર્ટી (VIP) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ કર્યા. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેની હિસ્સામાં 11 બેઠકો વીઆઈપીને આપી દીધી છે.
બિહારમાં રાજ્યના અત્યંત પછાત વર્ગમાં પ્રભાવ ધરાવતા ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નીતિશ કુમારની આગેવાનીવાળી ગઠબંધન સાથેના સંબંધો તોડ્યા પછી, ભાજપે એનડીએને આ વર્ગનો ખાલી જગ્યા ભરવા માટે વીઆઈપીનો સમાવેશ કર્યો છે.
જાહેર સભાને સંબોધન કરશે જેપી નડ્ડા
બિહારમાં ચૂંટણી પ્રચારની ગતિએ જોર પકડવાનું શરૂ કર્યું છે. ભાજપ અધ્યક્ષ જગત પ્રસાદ નડ્ડા રવિવારે બિહારની મુલાકાત લેશે. તેઓ રવિવારે સવારે પટનાના પ્રખ્યાત હનુમાન મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ કદમકુઆનમાં જેપી નિવાસ ખાતે લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. નડ્ડા બપોરે 2 વાગ્યે ગયામાં ભાજપની ચૂંટણી સભાને સંબોધન કરશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાની આ પહેલી જાહેર સભા હશે.