લોકસભાની ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મોદી અને અમિત શાહ આજે ભાજપના જૂના કાર્યાલય ખાતે ખાનપુરમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે.પી.ચોક ખાતે સભાને સંબોધી હતી.
ગાંધીનગરમાં પીએમ મોદીને નિહાળવા માટે ઉમટ્યા લોકો
પીએમ મોદી જ્યારે ગાંધીનગર પોતાની માં હિરાબાના ઘરે ગયા તો બહાર તેમના સમર્થકોનો જમાવડો લાગ્યો હતો. લોકો તેમને એક ઝલક નિહાળવા માટે આતૂર નજરે પડ્યા. દરેકે પોતાના ફોનના કેમેરા ઓન કરેલા હતા કે પીએમ મોદી આવે તો તેમનો ફોટો તેમના કેમેરામાં લઇ શકે.
Gujarat: Prime Minister Narendra Modi arrives at his mother Heeraben Modi's residence in Gandhinagar. pic.twitter.com/Khpl5FHy7k
PM મોદીએ મા હિરાબાના લીધા આશિર્વાદ
લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ પોતાની મા હિરાબાના આશિર્વાદ લેવા પહોંચ્યા પીએમ મોદી. મહત્વનું છે કે ચૂંટણી દરમિયાન પણ મા હિરાબાના લીધા હતા આશિર્વાદ.
Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence in Gandhinagar and seeks her blessings. #Gujaratpic.twitter.com/qWEwnJo1Y9
પીએમ મોદીએ કર્યું કાર્યકર્તાઓનું અભિવાદન
ખાનપુરમાં પીએમ મોદીએ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. ત્યારે આ દરમિયાન તેમણે સભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ મોદી કાર્યકર્તાઓને મળ્યા અને જનસભાને સંબોધિ હતી. પીએમ મોદીએ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું.
Gujarat: Prime Minister Narendra Modi waves at BJP supporters outside the party office in Ahmedabad. BJP President Amit Shah also present. pic.twitter.com/o2BIVWxvKZ
જીત પચાવવાની તકાતા હોવી જોઇએઃ પીએમ મોદી
તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ સતત બીજી વખત તમામ બેઠકો પર જીત્યું. 2019ની ચૂંટણી ન ભાજપ લડી, ન મોદી લડ્યા, ન કોઇ બીજા નેતા. આ ચૂંટણી જનતા લડી છે. જીતને પચાવવાની તાકાત હોવી જોઇએ. આગામી 5 વર્ષ દેશ માટે મહત્વના છે.
પીએમ મોદીએ કહ્યું- 300 બેઠક જીતવાની વાત કરતા હતા તો મજાક ઉડાવવામાં આવતી હતી
ભાષણમાં પીએમએ કહ્યું, ગુજરાતના વિકાસથી સમાજમાં નવો વિશ્વાસ પેદા થયો હતો. 2019 ચૂંટણીમાં તમામ રાજકીય પંડિતો ફેઇલ થઇ ગયા. અમને પૂછવામાં આવતું હતું કેટલી બેઠકો જીતશો? 6ઠ્ઠા તબક્કાના મતદાન બાદ હું કહેતો હતો કે અમે 300 બેઠકો જીતીશું તો સૌએ અમારી મજાક ઉડાવી.
ગુજરાતની શિક્ષા આજે કામ આવી રહી છેઃ પીએમ
પીએમએ કહ્યું કે 2014માં તમે લોકોએ મને વિદાઇ આપી હતી. ઘરનો દીકરો ગમે એટલો મોટો થઇ જાય, ઘરેથી જાય તો દુઃખ થાય છે. અહીંથી હું સંગઠન માટે સંઘર્ષ શિખ્યો હતો. કામ કરતા કરતા મારી જવાબદારી વધી ગઇ. ગુજરાતની ધરતીની શિક્ષા આજે કામ આવી રહી છે. 2014 પહેલા દેશ મને જાણતો ન હતો. દેશમાં હવા ફેલાઇ હતી કે ગુજરાત ઘણુ આગળ વધી ચૂક્યું છે.
લોકોનો આશીર્વાદ જ મારી શક્તિ છેઃ પીએમ
પીએમએ કહ્યું કે સમય ઓછો હોવાના લઇને કાર્યક્રમ ટાળી ન શક્યો. માં ના આશિર્વાદ લેવા પણ જરૂરી છે. હું તમારા લોકોના દર્શન કરવા આવ્યો છું. તમારા આશિર્વાદ મારી શક્તિ છે. તમારા પ્રેમ માટે મારી પાસે શબ્દો નથી. મારી પૂજ્ય ધરતીને શિશ જુકાવીને નમન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે. સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સુરતની ઘટના હચમચાવી નાખનાર છે. પરિવારના આશા અરમાન ભસ્મીભૂત થઇ ગયા. જેટલું દુઃખ વ્યક્ત કરીએ એટલું ઓછું છે. જેટલી સંવેદના વ્યક્ત કરીએ એટલી ઓછી છે. ગઇકાલથી હું એક દુવિધામાં હતો કાર્યકર્મમાં હાજરી આપવી કે નહીં. એક તરફ કર્તવ્ય હતું બીજી તરફ કરૂણા હતી. આ ઘટના અંગે જેટલું દુઃખ વ્યક્ત કરીએ એટલું ઓછું છે. પરિવાર પર આવેલ સંકટમાં આપણે ઇશ્વરને પ્રાર્થના કરી શકીએ. પરમાત્માએ પરિવારજનોને આ ભયંકર આઘાતમાં ટકી રહેવાની શક્તિ આપે. આ ઘટના બાદ હું રાજ્ય સાથે સતત સંપર્કમાં હતો. રાજ્ય સરાકરે ઘટનાના સંબંધમાં અને સમગ્ર રાજ્યમાં પણ આ પ્રકારે ડિઝાસ્ટરના હોર્ડિંગ માટેની વ્યવસ્થા હાથ ધરી છે. રાજ્ય સરકારની સક્રીયતા ભવિષ્યમાં આવા સંકટોથી બચવા માટે વ્યવસ્થા જરૂર કામ આવશે.
અમિત શાહનું સંબોધન
ભાજપે એકલા હાથે 303 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. તેથી ભાજપના કાર્યકર્તાઓ, ગુજરાતની જનતાનો આભાર માનું છું. સંબોધનમાં મમતાબેનર્જી પર નિશાન તાકતા કહ્યું કે, 26 બેઠકોનો પડઘો બંગાળ સુધી પડવો જઇએ. ગુજરાતનો અવાજ બંગાળમાં ગુંજવો જોઇએ. હું એક સાંસદ તરીકે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છું.
વધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ભાજપને ગુજરાતનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.
સુરત દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સુરતમાં ખુબ જ દુઃખદ ઘટના ઘટી છે. આ દુર્ઘટનાનું ખુબ દુઃખ છે. પ્રભુ તમામ બાળકોના આત્માને શાંતી આપે. ભાજપ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવતા તેમની સાથે છે.
ખાનપુર ખાતે સીએમ રૂપાણીનું સંબોધન
ફકીરની જોલી જનતાએ ભરી દીધી છે. નરેન્દ્ર મોદી પર જનતાએ પ્રચંડ વિશ્વાસ મુક્યો છે. આજે જનતાના આભાર માટે આ સંમેલન યોજાયું છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. મોટી સંખ્યામાં મોદીનું સ્વાગત કરવા પહોંચેલા સૌ લોકોનો આભાર માનું છું.
સુરત દુર્ઘટનાનું દુઃખ વ્યક્ત કરતા ન વાગ્યા ઢોલ-નગારા
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં સુરતમાં બનેલી દુર્ઘટનાનું બહુ દુઃખ છે. ત્યારે ભાજપ પોતાની જીત તામજામથી નહીં ઉજવે. કોઇ ઢોલ-નગારાથી નહીં ઉજવે. માત્ર પાર્ટીનો ખેસ ધારણ કરીને જીતની ઉજવણી કરવામાં આવશે.
પીએમ મોદી પહોંચ્યા ખાનપુર
પ્રધાનમંત્રી મોદી ખાનપુર કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા છે. 2019 લોકસભાની જીત બાદ મોદી ફરી એકવાર ખાનપુર કાર્યાલય પહોંચ્યા છે. અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો પહોંચ્યા છે. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સરદાર પટેલના સ્ટેચ્યુે કર્યા પુષ્પાજલિ અર્પણ
અમદાવાદ એરપોર્ટથી નરેન્દ્ર મોદીનો કાફલો સરદાર પટેલના સ્ટેચ્યુ પહોંચ્યો હતો. જ્યાં નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2019
એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. જ્યાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ ભાજપના નેતાઓ અને જગન્નાથ મંદિરના સંતો પણ સ્વાગતમાં જોડાયા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2019
ખાનપુર કાર્યાલયની મુલાકાત
અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો અભિવાદન સમારોહ યોજાશે. સાંજે 6 કલાકે પ્રધાનમંત્રી મોદી ખાનપુર કાર્યાલયની મુલાકાત લેશે. કમલમ્ પહેલા ખાનપુર ભાજપનું પ્રદેશ કાર્યાલય હતું. ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની અનેક યાદો રહેલી છે. નરેન્દ્ર મોદી આ કાર્યાલય સાથે 40 વર્ષ જોડાયેલા રહેલા છે. નરેન્દ્ર મોદી જીતનો જશ્ન ખાનપુર કાર્યાલય ખાતે મનાવતાં હતાં. 2019 લોકસભાની જીત બાદ મોદી ફરી એકવાર ખાનપુર કાર્યાલય પહોંચશે. તો આ તરફ અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીની ગુજરાતની મુલાકાતે લઇને કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખાનપુર ખાતે તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ
જીત બાદ પ્રથમ વખત પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાત લેતા ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે. મોદી અને અમિત શાહ આજે ભાજપના જૂના કાર્યાલય ખાતે ખાનપુર જશે જ્યાં તેઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. જે.પી.ચોક ખાતે નરેન્દ્ર મોદી સભા પણ સંબોધશે. ત્યારે મોદી-શાહના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરી દેવાઇ છે.