ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આપ્યા અભિનંદન કહ્યું જનતાનો હૃદયપૂર્વક આભાર, ભાજપના કાર્યકર્તાને અભિનંદન
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું વારંવાર આશીર્વાદ આપવા બદલ લોકોનો આભાર
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું લોકોના કલ્યાણ અને વિકાસ માટે આ રીતે સતત કાર્ય કરતી રહેશે
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ PM મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું મતદાનના પરિણામો ગુજરાતના લોકો અને ભાજપ વચ્ચેના ઊડા મૂળના બંધનને ફરીથી પુષ્ટિ આપે છે તો ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા છે.
Results of the local body polls across Gujarat and Gandhinagar Municipal Corporation reaffirm the deep-rooted bond between the people of Gujarat and BJP.
Gratitude to the people for repeatedly blessing us. Kudos to all @BJP4Gujarat Karyakartas for working hard at the grassroots.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ PM મોદીએ કર્યું ટ્વીટ
સમગ્ર ગુજરાત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક સંસ્થાના મતદાનના પરિણામો ગુજરાતના લોકો અને ભાજપ વચ્ચેના ઊડા મૂળના બંધનને ફરીથી પુષ્ટિ આપે છે.
અમને વારંવાર આશીર્વાદ આપવા બદલ લોકોનો આભાર. સૌને ધન્યવાદ, સતત પાયાના કાર્યકર તરીકે મહેનત કરવા ગુજરાત ભાજપના કાર્યકર્તાને અભિનંદન આપું છું
ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત થતાં ટ્વીટ કર્યું
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓની પેટાચૂંટણીમાં ભાજપની આ પ્રચંડ જીત દર્શાવે છે કે ગુજરાતની જનતાનો નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારની વિકાસલક્ષી અને ગરીબકલ્યાણ નીતિઓમાં વિશ્વાસ સતત વધારે મજબૂત થઈ રહ્યો છે.હું જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
CM ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ તેમજ કાર્યકરોનો માન્યો આભાર
હું આ ઐતિહાસિક જીત માટે ભૂપેન્દ્ર પટેલજી અને સી આર પાટીલજી તેમજ ગુજરાત ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણ અને વિકાસ માટે આ રીતે સતત કાર્ય કરતી રહેશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓની પેટાચૂંટણીમાં ભાજપની આ પ્રચંડ જીત દર્શાવે છે કે ગુજરાતની જનતાનો @narendramodiજીના નેતૃત્વમાં ભાજપ સરકારની વિકાસલક્ષી અને ગરીબકલ્યાણ નીતિઓમાં વિશ્વાસ સતત વધારે મજબૂત થઈ રહ્યો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કર્યું ટ્વીટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વીટ કહ્યું છે કે ગુજરાતના સ્થાનિક ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપને મોટી બહુમતી મળી છે. સતત મળી રહેલા સમર્થન અને આશીર્વાદ માટે ગુજરાતની જનતાનો આભાર માંને છે. અને ઐતિહાસિક જીત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ભાજપ કાર્યકરોને અભિનંદન આપું છું. સાથે જ કહ્યું હતું કે આ જીત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ તેમજ ભાજપની જન કલ્યાણકારી નીતિઓ પર જનતાનો વિશ્વાસ દર્શાવે છે. આગળ પર જન સુખાકારીમાટે કામ કરવા કટિબધ્ધ છીએ.
गुजरात स्थानीय निकाय चुनावों व गांधीनगर नगर निगम चुनावों में भाजपा को अपार बहुमत मिला है। लगातार समर्थन और आशीर्वाद के लिए मैं गुजरात की जनता का धन्यवाद देता हूँ और अभूतपूर्व विजय के लिए मुख्यमंत्री @Bhupendrapbjp जी व प्रदेश अध्यक्ष @CRPaatil जी और कार्यकर्ताओं को बधाई देता हूं।
કઈ પાર્ટીને કેટલા ટકા જનતાનો આશીર્વાદ મળ્યો?
ગાંધીનગર મહાનગરપાલિકામાં AAPના કારણે એકતરફી મુકાબલો રહ્યોં હતો. ભાજપને 46% મત મળ્યા જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત મળ્યા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપથી વધુ મત હાંસલ કરી શકત પણ એવું બન્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યું પાડતા ભાજપની રાહ આસાન થઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 8 વોર્ડમાં કોંગ્રેસ બીજા સ્થાને, આમ આદમી પાર્ટી કુલ 3 વોર્ડમાં બીજા સ્થાને રહી છે. મહત્વનું છે કે વિપક્ષોના મત વહેંચાવાના કારણે કોઈ વોર્ડમાં ભાજપ સામે ફાઈટ રહી જ નહી જેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના કુલ 41 સભ્યો રસાકસી વગર ચૂંટાયા ગયા છે.