ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ગઠબંધન 46 બેઠકો પર આગળ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) 25 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આજસૂ અને જેવીએમ 3-3 બેઠકો પર આગળ છે. અન્ય ખાતામાં 5 બેઠકો જતી દેખાઇ રહી છે. બહુમતનો જાદુઇ આંકડો 41 છે.
ઝારખંડના ચૂંટણી પરિણામ બાદ અમિત શાહ અને પ્રધાનમંત્રીનું ટ્વીટ
જનાદેશનું કરીએ છીએ સન્માનઃ અમિત શાહ
શિવસેના-કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ JMMને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઝારખંડ ચૂંટણીમાં JMMના ગઠબંધનની સરકારને જીત બદલ શુભેચ્છાઓ. તેમને રાજ્યની સેવા કરવામાં માટે શુભકામનાઓ. વધુ એક ટ્વિટ કરતા પીએમએ કહ્યું કે, હું ઝારખંડની જનતાનો આભાર માનું છું. ભાજપને ઘણા વર્ષો સુધી રાજ્યની સેવા કરવાની તક આપી. હું મહેનતુ પાર્ટી કાર્યકર્તાઓની મહેનતના વખાણ કરું છું. અમે આગામી દિવસોમાં રાજ્યની સેવા અને લોકો કેન્દ્રીત મુદ્દઓ ઉભા કરીશું.
શું કહ્યું અમિત શાહે?
ઝારખંડ ચૂંટણીના વલણ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલ જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને 5 વર્ષ સુધી પ્રદેશની સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો હતો, તેના માટે અમે જનતાનો હ્રદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપ સતત પ્રદેશના વિકાસ માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓનો તેમને અથાક પરિશ્રમ માટે આભાર.
Congratulations to @HemantSorenJMM Ji and the JMM-led alliance for the victory in the Jharkhand polls. Best wishes to them in serving the state.
I thank the people of Jharkhand for having given @BJP4India the opportunity to serve the state for many years. I also applaud the hardworking Party Karyakartas for their efforts.
We will continue serving the state and raising people-centric issues in the times to come.
ઝારખંડ ચૂંટણીના પરિણામને લઇ શિવસેના અને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે લોકોએ NRC-CAAએને લોકોએ નકારી દીધો છે. લોકોને રોજગારી જોઇએ છે. વિકાસ જોઇએ છે. પરંતુ ભાજપે જે વાયદા કર્યા હતા તે કોઇ વાયદા પૂરા નથી કર્યા.
हम झारखंड की जनता द्वारा दिये गये जनादेश का सम्मान करते हैं।
भाजपा को 5 वर्षों तक प्रदेश की सेवा करने का जो मौका दिया था उसके लिए हम जनता का हृदय से आभार व्यक्त करते हैं। भाजपा निरंतर प्रदेश के विकास के लिए कटिबद्ध रहेगी।
सभी कार्यकर्ताओं का उनके अथक परिश्रम के लिए अभिनंदन।
કોંગ્રેસ નેતા પી.ચિદંબરમને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019માં જનતાએ ભાજપને જાકારો આપ્યો છે. મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં પણ ભાજપની હાર થઇ છે. બંધારણ બચાવવા તમામ પક્ષો કોંગ્રેસની સાથે છે.