અફઘાનિસ્તાન મામલે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ છેલ્લા 3 કલાકથી બેઠક કરી રહ્યાં છે. બેઠક બાદ મોટી જાહેરાત થવાની સંભાવના છે.
અફઘાનિસ્તાન મામલે પીએમ મોદીની મોટી બેઠક
અમિત શાહ છેલ્લા 3 કલાકથી બેઠક કરી રહ્યાં છે
બેઠક બાદ મોટી જાહેરાત થવાની સંભાવના
અફઘાન કટોકટી મામલે ભારતે તાલિબાન સાથે મંત્રણા શરુ કરી દીધી છે. બુધવારે ભારતીય રાજદૂત અને તાલિબાની નેતાની કતારમાં મુલાકાત થઈ હતી.
દોહાની રાજધાની કતારમાં ભારતીય રાજદૂત દિપક મિત્તલ તાલિબાનના રાજકીય હેડ શેર મોહમ્મદ અબ્બાસને મળ્યાં હતા અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી.
ભારતીયોની સુરક્ષા અંગે વાતચીત કરી
ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે મુલાકાત માટે તાલિબાને આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ ભારત અને તાલિબાનના પ્રતિનિધિ દોહાની રાજધાની કતારમાં ભારતીય દૂતાવાસમાં મળ્યાં હતા. બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને દેશવાપસી અંગે ચર્ચા થઈ હતી.
તે ઉપરાંત ભારત આવવા માગતા અફઘાની નાગરિકો ખાસ કરીને લઘુમતી સમુદાય અંગે પણ ચર્ચા કરાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રાજદૂત મિત્તલે તાલિબાની લીડર સાથેની મુલાકાતમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બન્ને પ્રતિનિધિઓ એ વાતે સંમત થયા કે અફઘાનિસ્તાન કદી પણ તેની જમીનનો ઉપયોગ ભારતની સામે નહીં કરવા દેય.
અફઘાન મામલે વિપક્ષે મોદી સરકારની ઘેરાબંધી કરી
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી બાદ હવે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સ્પસ્ટ કરે કે તાલિબાન આતંકી સંગઠન છે કે નહીં.
શું સરકાર તાલિબાનમાંથી આતંકવાદી લેબલ હટાવવા માટે યુએનમાં જશે?
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'તાલિબાન કાં તો આતંકવાદી સંગઠન છે કે નહીં, કૃપા કરીને સ્પષ્ટ કરો કે તમે તેને કેવી રીતે જુઓ છો. જો તેઓ આતંકવાદી જૂથો છે તો પછી તમે તેમની સાથે કેમ વાત કરી રહ્યા છો? જો નહીં, તો શું તમે (મોદી સરકાર) સંયુક્ત રાષ્ટ્રમાં જઈને તેને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી બહાર કાઢશો? તમે પહેલા નક્કી કરો.