કેન્દ્રિય મંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ PM મોદી પણ એપ્રિલ મહિનામાં ગુજરાતના પ્રવાસે છે.
વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મહત્વની
હાઇકમાન્ડનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર રહેશે
કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો
PM મોદી અને અમિત શાહના પ્રવાસથી વહેલી ચૂંટણીને લઇ ચર્ચાએ જોર પકડ્યું છે કારણ એ જ છે 5માંથી 4 રાજ્યોમાં ભાજપને સફળતા મળતા ગુજરાતનું ગણિત બદલાઈ શકે છે. 4 રાજ્યમાં ભાજપની જીત થતાં ગુજરાત ભાજપના નેતાઓનો ઉત્સાહ પણ વધી ગયો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી ગયા છે. હાલ ભાજપ હાઇકમાન્ડનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે.
16 એપ્રિલ-કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા- ગુજરાત
21 એપ્રિલ- PM મોદી- દાહોદ- બનાસકાંઠામાં
10 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે
ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. સહકાર મંત્રી અમિત શાહ 10 એપ્રિલે નવા ભવનનું લોકાર્પણ કરશે. ગુજકોમાલોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોનું નવું ભવન વારમાંથી વિધામાં બનાવ્યું છે. જૂને ઓફિસ 600 વારમાં હતી, નવી ઓફિસ 5 વિઘામાં બનાવવામાં આવી છે. પ્રગતિ અને ખેડૂતો માટે વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સહકારી પ્રવૃત્તિથી આર્થિક સમૃદ્ધિનું માર્ગદર્શન મળશે. ખાતરના વધતા ભાવ મુદ્દે પણ સંઘાણીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય લડાઇ અને મટીરિયલના ભાવ વધવાથી ખાતરના ભાવમાં વધારો થયો છે. હાલ યુરિયા સરકારને 5 હજારમાં પડે છે. પરંતુ યુરિયા ખેડૂતોને માત્ર 268 રૂપિયામાં આપવામાં આવે છે
15 એપ્રિલે મનસુખ માંડવિયા, 16 એપ્રિલે જ્યોતિરાદિત્ય સિંધિયાનો પ્રવાસ
અમિત શાહ બાદ વધુ એક કેન્દ્રિય મંત્રી ગુજરાત પ્રવાસે આવશે. મળતી માહિતી મુજબ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા 15 એપ્રિલે ગુજરાત આવશે. તેમાં કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે છે.
21 અને 22 એપ્રિલે બે દિવસના પ્રવાસે આવશે PM મોદી
ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા PM મોદીના ફરી એક વાર ગુજરાત આવશે. અગામી 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કામનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદ અને બનાસકાંઠામાં પ્રધાનમંત્રી રોડ શો પણ કરશે. નિમીષાબેન સુથારે 50 હજાર લોકો એકત્ર કરવાની જવાબદારી લીધી છે. જેઠા ભરવાડે 40 હજાર લોકો એકત્ર કરવાની જવાબદારી લીધી હોવાનું પાટીલે જણાવ્યું હતું.મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા.
PM મોદી નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કરવા આવી શકે છે
રાજકોટના જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષના ઓગસ્ટ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. ત્યારે આગામી મે મહિનામાં નરેન્દ્ર મોદી આ નવા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કરવા આવી શકે છે. મહત્વનું છે કે આ એરપોર્ટ ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 23 હજાર ચોરસ મીટરનો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આ એરપોર્ટ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
રાષ્ટ્રપતિના પણ આ મહિનામાં ગુજરાત પ્રવાસ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ શિશ ઝુકાવશે તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.