પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં UNGAના વિશ્વમંચ પરથી સતત ચોથી વખત વિશ્વના નેતાઓની હાજરીમાં સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે ગુજરાતના બાલ્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.
UNGAમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
ગુજરાતના કાર્યકાળને કર્યો યાદ
બાળપણમાં ચાની દુકાન પર પિતાને મદદ કરતા હોવાની કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતે તાજેતરમાં જ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારું રાષ્ટ્ર વિવિધતા, ડેમોક્રેસીની સશક્તતા માટે જાણીતું. એક એવો દેશ જ્યાં હજારો ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે. અલગ અલગ રહેણી કહેણી અને ખાનપાન છે. તે વાયબ્રન્ડ ડેમોક્રેસીનું ઉત્તમ ઉદાહરણ છે.
બાળપણના સંસ્મરણો વાગોળ્યા
તો પોતાના કાર્યકાળ અને બાળપણના સંસ્મરણો વાગોળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની ડેમોક્રેસની તાકાત છે કે, એક નાનકડું બાળક,જે ક્યારેક રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર પોતાના પિતાની મદદ કરી રહ્યું હતું. જે આજે ચોથી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે UNGAમાં સંબોધન કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, સૌથી લાંબા સમય માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ છેલ્લા 7 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે નાગરિકોની સેવા કરતા 20 વર્ષ થઈ રહ્યા છે.
આતંકવાદ મુદ્દે PM મોદીનું મોટું નિવેદન
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય. તો અફઘાનિસ્તાને લઈને પણ નિવેદન આપતા કહ્યું હતું કે,અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ઉપયોગ કોઈ દેશ પોલિટિકલ ટૂલની જેમ ઉપયોગ ન કરે.
વેક્સિનેશનને લઈને આપ્યું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે,ભારતમા 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળ્યું છે, 50 કરોડથી વધારે લોકોને મફત સારવાર આપી છે, ત્રણ કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું, ભારતે દુનિયાની પહેલી DNA વેક્સિન વિકસિત કરી લીધી હોવાની તેમણે વાત કરી હતી. આ સાથે જ તેમણે દુનિયાના વેક્સિન બનાવનાર કંપનીઓને ભારતમાં આવીને વેક્સિન બનાવવા આમંત્રણ આપ્યું હતું.
જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો વિકાસ થાય છે
સંયુક્ત રાષ્ટ્રમાં સામાન્ય સભાના સંબોધનમાં PM મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કર્યો હતો, આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, અમારી વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાને મદદ કરી શકે છે.
કોરોનાના મૃતકોના પરિવારજનો માટે વ્યક્ત કરી સંવેદન
તેમણે સંબોધનની શરૂઆત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે.
મહાસભા પછી તેઓ પરત ભારત આવશે
આ સભામાં કાસ કરીને વડાપ્રધાન કોરોના મહામારી, મંદી અને વિકાસને લઈને ચર્ચા કરશે. સાથેજ અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને પણ તેઓ ચર્ચા કરી શકે છે. સાથેજ જલવાયુ પરિવર્તન અને આતંકવાદને લઈને પણ વડાપ્રધાન મોદી તેમનો અવાજ ઉઠાવશે અને મહાસભામાં સંબોધન બાદ તેઓ ભારત પરત આવવા માટે રવાના થશે.