વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને અણમુલી ભેટ આપી છે. રાજકોટ AIIMSનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત કર્યુ. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને ગુજરાતને અનોખી ભેટ આપી છે.
PM modi એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ AIIMSનું ખાતમૂહુર્ત કર્યુ હતુ. અને વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ એક કડી જોડાઇ, ગુજરાતની સાથે દેશના લોકોને લાભ મળશે, સ્વાસ્થ્ય જ સંપત્તિ છે
કોરોના વોરિયર્સને યાદ કર્યા
Pm Modiએ જણાવ્યું હતુ કે, લાખો ડોક્ટર્સ, હેલ્થવર્કર્સને યાદ કરવા જોઇએ એટલું જ નહીં પરંતુ સફાઇકર્મીઓ, ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાને યાદ કરવા જોઇએ. કારણ કે તેમણે તેમના જીવનને દાવ પર લગાવી માનવતાની સેવા કરી છે. આ કર્તવ્યપથ પર અનેક લોકોએ બલિદાન આપ્યાં છે તમામ લોકોને હું નમન કરુ છું. કોરોનાકાળમાં ગરીબો સુધી લોકોએ ભોજન સહિતની સુવિધા પહોંચાડી, મુશ્કેલીના સમયે દરેક વ્યક્તિએ એકતાની ભાવના દર્શાવી તે બદલ હું જનતાનો પણ આભારી છું.
કોરોના મામલે ભારત વિજયી
1 કરોડ કરતા વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને ભારતમાં કોરોનાથી મૃત્યુંઆંક ઘણો નીચો છે. કોરોના સંક્રમણ પર ભારતે કાબૂ મેળવી લીધો છે. બીમારી ગ્લોબલાઇઝ થઇ રહી છે, સ્વાસ્થ્ય મુદ્દે વિશ્વ એકસાથે આવીને કામ કરે તે જરુરી, ભારત મોટા ગ્લોબલ પ્લેટર તરીકે ઉભરી રહ્યું છે, ભારતે ડિમાન્ડ પ્રમાણે કામ કરવાની ક્ષમતાને સાબિત કરી, અમે માત્ર માનવતાને કેન્દ્રમાં રાખી છે.