PM મોદી આજે અમદાવાદ ઝાયડસ, પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત લેશે. PM મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. ઝાયડસ બાયોટેકની મુલાકાતે પહોંચ્યા હતા. વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરીને હવે પૂણે જવા રવાના થયા છે.
PM modi અમદાવાદ થી પૂણે જવા રવાના
PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચી ગયાં છે. હાલમાં વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરી અને હવે રવાના થઈ ગયા છે. તેઓ પુણે રવાના થશે. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.
PM નરેન્દ્ર મોદીની આજે અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. 9 વાગે એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર પહોંચશે. ચાંગોદર પોલીસ છવાણીમાં ફેરવાયું છે. 4 SP, 10 DySP સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
12 PI, 40 PSI, LCB અને SOG પણ બંદોબસ્તમાં રહેશે. 500 થી વધુ પોલીસ જવાનનો ચુસ્ત બંદોબસ્ત છે. PM મોદી ઝાયડસ કેડીલાની ગોયકોવિડ વેક્સીનનું નિરીક્ષણ કરશે.
હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કામગીરીનું કરશે નિરીક્ષણ
અમદાવાદમાં ઝાયકોવિડ વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત
PM મોદીનો અમદાવાદ ખાતેની મુલાકાતનો હેતુ ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરીને તેની અપડેટ્સ મેળવવાનો છે. આ રસીના પરિક્ષણ કેટલા સમયમાં થશે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે તે મુદ્દે તેઓ CMD પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે.
ઝાયકોવિડના સારા પરિણામ મળ્યા છે
નોંધનીય છે કે ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીનની ટ્રાયલ આજથી શરૂઆત
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીનની ટ્રાયલ આજથી શરૂ થઈ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિયન્ટિયરને રસી આપવામાં આવી છે. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ICMR અને રાજ્યસરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર મોદી સરકારે રસીકરણ માટેની યોજના પર સંપૂર્ણ કામ કરી લીધું છે અને એક અંદાજ અનુસાર એક વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવા માટે 500 રૂપિયાનો ખર્ચ આવશે અને સરકારે તે હેઠળ 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કરી રાખ્યું છે. આ બજેટના ફંડની મદદથી રસીકરણમાં કોઈ બાધા આવશે નહીં. આ માટે બજેટમાં તેની જાહેરાત પણ થઇ શકે છે.