લોકસભાની ચૂંટણી શાનદાર જીત બાદ પ્રધાનમંત્રી મોદી આજે વારાણસીની મુલાકાત લેશે. લોકસભાની ચૂંટણીમાં જીત બદલ તેઓ લોકોનો આભાર વ્યક્ત કરશે.અહી તેઓ કાશી વિશ્વનાથના દર્શન કરી જનતા સાથે સંવાદ કરશે. કાશી વિશ્વનાથ કોરિડોર અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. મહત્વનું છે કે, વારાણસી બેઠક પર ભાજપ સતત છ વખત લોકસભા જીતતું આવ્યુ છે. 2014માં નરેન્દ્ર મોદીનો વારાણસી બેઠક વિજય થયો હતો. ફરીથી 2019 માં નરેન્દ્ર મોદી ફરીથી વિજય બન્યા હતા.