પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એરફોર્સના ખાસ વિમાનથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટની બહાર ગુજસેલના ગ્રાઉન્ડ ઉપર પીએમ મોદી જાહેર સભાને સંબોધી હતી. પીએમ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. અહીં તેઓ હ્દયકુંજમાં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ હવે તેઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જ્યાં દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રીમાં માતાજીની આરતી કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે
સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
પીએમ મોદી દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કર્યો
PM મોદીએ કહ્યું- દરેક વ્યક્તિ એક સંકલ્પ લે
પીએમ મોદીએ કહ્યું કે બાપુના સપનાઓનું ભારત, જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસના આદર્શ પર ચાલશે. બાપૂના રાષ્ટ્રવાતના આ તમામ તત્વો સમગ્ર દુનિયા માટે આદર્શ સિદ્ધ થશે, પ્રેરણા સ્ત્રોત બનશે. રાષ્ટ્રપિતાના મૂલ્યોને સ્થાપિત કરવા માટે, માનવતાના ભલા માટે, દરેક ભારતવાસી રાષ્ટ્રવાદના દરેક સંકલ્પને સિદ્ધ કરવા માટે સંકલ્પ લે. હું આજે દેશથી એક વ્યક્તિ-એક સંકલ્પનો આગ્રહ કરું છું. દેશ માટે કોઇ પણ સંકલ્પ લો, પરંતુ જરૂર લો. પોતાના કર્તવ્યો વિશે વિચારો, રાષ્ટ્ર પ્રત્યે પોતાના દાયિત્વો વિશે વિચારો, કર્તવ્ય પથ પર ચાલતા, 130 કરોડ સંકલ્પોની તાકાત, દેશમાં કેટલુ બધુ કરી શકે છે. આજે સંકલ્પ લઇને એક વર્ષ સુધી આપણે નિરંતર દિશામાં કામ કરવાનું છે. એખ વર્ષ કામ કર્યું, તો પછી આ આજ આપણા જીવનની દિશા બની જશે. આ આપણી જીવનશૈલી બની જશે. આ એક કૃતજ્ઞ રાષ્ટ્રની બાપૂને સાચૂ શ્રદ્ધાજલિ હશે.
જીવનની રક્ષા માટે મોટો ખતરો છે પ્લાસ્ટિકઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, સરકારે જળ જીવન મિશન પર સાડા 3 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ દેશવાસીઓની સક્રીય ભાગીદારી વિના આ વિરાટ કાર્ય પૂર્ણ કરવું મુશ્કેલ છે. સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને જીવ સુરક્ષા, આ ત્રણ વિષય ગાંધીજીના પ્રિય હતા. પ્લાસ્ટિક આ ત્રણેય માટે બહુજ મોટો ખતરો છે. જોકે વર્ષ 2022 સુધી દેશને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મૂક્ત કરવાનું લક્ષ્ય આપણે હાંસલ કરવાનું છે. ગત ત્રણ અઠવાડિયામાં સ્વચ્છતા જ સેવાના માધ્યમથી સમગ્ર દેશને આ અભિયાનને બહુ ગતિ આપી છે. મને જણાવવામાં આવ્યું છે કે અંદાજિત 20 હજાર ટન પ્લાસ્ટિક કચરો આ દરમિયાન એકઠો કરવામાં આવ્યો છે.
PM Modi: Sanitation, conservation of environment and animals, all these things were dear to Gandhi ji. Plastic is a major threat to all of them. So, we have to achieve the goal to eradicate 'single use plastic' from the country by the year 2022. #SwachhBharat#GandhiAt150pic.twitter.com/4Bru8NeMgr
બાપૂની જયંતિના ઉત્સવને સમગ્ર દુનિયા મનાવી રહી છે. કેટલાક દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રે પોસ્ટ ટિકિટ જાહેર કરી આ વિશેષ અવસરને યાદગાર બનાવ્યો અને આજે અહીં પણ પોસ્ટ ટિકિટ અને સિક્કા જાહેર કરવામાં આવ્યા છે. હું આજે બાપૂની ધરતીથી, તેમની પ્રેરણા સ્થળી, સંકલ્પ સ્થળીથી સમગ્ર વિશ્વને શુભેચ્છા આપું છું.
ચક્રધારી મોહન અને ચરખાધારી મોહનની આ ભૂમિ પર પધારેલા સ્વચ્છતાના સિપાહીઓનું સ્વાગતઃ PM મોદી
ચક્રધારી મોહન અને ચરખાધારી મોહનની આ ભૂમિ પર પધારેલા સરપંચો - સ્વચ્છતાના સિપાહીઓનું સ્વાગત... હવે સાબરમતીનું આ પ્રેરક સ્થળ સ્વચ્છાગ્રહની એક મોટી સફળતાની સાક્ષી બની રહી છે, આ આપણા તમામ માટે ખુશી અને ગૌરવનો અવસર. આજે ગ્રામીણ ભારતને, ત્યાંના ગામોને ખુદ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યા છે. સ્વચ્છાથી, સ્વપ્રેરણાથી અને જનભાગીદારીથી ચાલી રહેલ સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ પણ છે અને સફળતાનો સ્ત્રોત પણ છે. હું દરેક દેશવાસીઓને એમાં પણ ગામડાના લોકોને, આપણા સરપંચોને તમામ સ્વચ્છાગ્રહિઓને ખુબ ખુબ ધન્યવાદ આપું છું.
આજે જે સ્વચ્છાગ્રહિઓને અહીં સ્વચ્છ ભારત પુરસ્કાર મળે છે, તેમને પણ ખુબ ખુબ અભિનંદન. જે પ્રકારે દેશની આઝાદી માટે બાપૂના એક આહ્વાન પર લાખો ભારતવાસીઓ સત્યાગ્રના રસ્તે નિકળી પડ્યા હતા, તે પ્રકારે સ્વચ્છાગ્રહ માટે પણ કરોડો દેશવાસિયોએ ખુલ્લા દિલથી પોતાનો સહયોગ આપ્યો.
પીએમ મોદી દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ બાપૂને ધરતી ગુજરાતથી 150મી જયંતિ પર ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યું છે. આ દરમિયાન ભારત દિવસ કાર્યક્રમાં પીએમ મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા.
મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર 150 રૂપિયાના સિક્કા બાપૂને સમર્પિત કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમને સંબોધિત કરશે. આ પહેલા પીએમ મોદીએ સ્મારક ટિકિટો અને 40 ગ્રામ શુદ્ધ ચાંદીના સિક્કાને મહાત્મા ગાંધીએ સમર્પિત કર્યા. આ ટિકિટ અને 150 રૂપિયાના સિક્કાને 150મી ગાંધી જયંતિ પર બાપૂને સમર્પિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદી ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવામાં યોગદાન આપનાર સ્વચ્છાગ્રહિઓને સન્માનતિ કર્યા.
Ahmedabad: Prime Minister Narendra Modi releases commemorative Rs 150 coins, on the occasion of Mahatma Gandhi's 150th birth anniversary. #GandhiAt150pic.twitter.com/JAvNpeUcjX
રિવરફ્રન્ટ ખાતે પીએમ મોદીએ એક્ઝિબિશન સેન્ટર નિહાળ્યું
અમદાવાદ ખાતે સરપંચ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા. 20 હજાર સરપંચોને સંબોધિત કરશે. પીએમ મોદીએ રિવરફ્રન્ટ ખાતે એક્ઝિબિશન સેન્ટર નિહાળ્યું. રિવરફ્રન્ટ ખાતે તેમણે બાળકો સાથે વાતચીત કરી હતી.
Gujarat: Prime Minister Narendra Modi arrives for the 'Swachh Bharat Diwas' programme at Sabarmati Riverfront in Ahmedabad. Chief Minister Vijay Rupani also present. pic.twitter.com/DH3xZ7YYm1
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પ્રસંગે આજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ ખાતે 20 હજાર સરપંચોને પણ સંબોધીત કરવા માટે પહોંચ્યા છે. જેમાં 10 હજાર રાજ્યના અને 10 હજાર અન્ય રાજ્યોના સરપંચો હાજર છે.
Gujarat: Prime Minister Narendra Modi at the Sabarmati Riverfront in Ahmedabad. pic.twitter.com/OjDslaO7m7
સાબરમતી આશ્રમ પીએમ મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ બાપૂ સાથે જોડાયેલ વસ્તુઓને પણ જોઇ. સાથે જ ત્યાં બાળકોને પણ મળ્યા. જોકે પીએમ મોદીએ અહીં તેઓ હ્દયકુંજમાં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને માલ્યાર્ણપ કરીને બાપૂ સાથે જોડાયેલ વસ્તુઓને પણ નીહાળી. સાથે જ બાપૂ પર લાખાયેલ પુસ્તકનું વિમોચન કર્યું. તેઓ ત્યાં બાળકોને પણ મળ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે બાળકો અને યુવાનો સાથે સંવાદ પણ કર્યો હતો. આ ઉપરાંત સાબરમતી આશ્રમ ખાતે આવેલ મગન નિવાસની મુલાકાત લીધી હતી. મગન નિવાસ ખાતે ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ ચરખા ગેલેરીમાં દેશ ભરના અલગ અલગ ૩૦ ચરખા રાખવામાં આવ્યા છે.
અભિવાદન સમારોહમાં PM મોદીનું સંબોધન
એરપોર્ટ પર સંબોધન કરતા PM મોદીએ મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા તે બદલ આભાર. એક સાથે બધાના દર્શન થઇ જાય છે. ટૂંકા સમયમાં ફરીથી ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. ટુંકા સમયમા ફરી ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. તમને બધાને મળવાનું થાય છે તેનો આનંદ છે.
વૈશ્વિક મંચ પર વધ્યું ભારતનું કદઃ PM મોદી
આજે ભારતની પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં વધી રહી છે. દેશની સ્વિકૃતિ, સમ્માન વધી રહ્યા છે. હું 2014માં પ્રથમ વખત UN ગયો ત્યારે મે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે અપીલ કરી હતી. દુનિયા ભારતને ઉત્સુક્તાથી જોઇ રહી છે. 2019માં હું UNમાં ગયો ત્યારે બદલાવ જોવા મળ્યો. દુનિયાના તમામ દેશ ભારતને સ્વીકાર કરી ચૂક્યા છે. દુનિયાનો દરેક દેશ ભારતનો સ્વિકાર કરી ચૂક્યો છે. દુનિયાના મનમાં એક આશા જાગી છે. પરિવર્તનની સંભાવનાઓમાં સૌથી મોટી ભાગીદારી ભારતની હશે. વિશ્વને સાથે રાખીને ચાલવાનું ભારતમાં સામર્થ. ભારત આદર્શ, વ્યવહાર અને સંસ્કૃતિના કારણે બધાને સાથે લઇને ચાલીએ છીએ. વિશ્વમાં ભારત પ્રતિ આશા જાગી છે. ભારત વિશ્વને સાથે રાખીને ચાલવાનું સમર્થ રાખે છે. ભારત વિશ્વને સાથે લઈને ચાલવાનું સામર્થ ધરાવે છે. હાલમાં વિશ્વમાં ભારતની યોજનાઓની ચર્ચા થઇ રહી છે. આયુષ્યમાન ભારત યોજના અંગે વિશ્વ અચંબિત છે.
150થી વધુ દેશોના ગાયકોએ વૈષ્ણવજન ભજન ગાયુંઃ PM મોદી
વૈષ્ણવજન તેને રે કહીએ ગાવા માટે સૂચન કર્યું હતું. વિશ્વના જાણીતા સંગીતકારોએ ગુજરાતીમાં ભજન ગાયા. 150થી વધુ દેશોના ગાયકોએ વૈષ્ણવજન ભજન ગાયું. વૈષ્ણવ જન તો એને કહીએ ભજન વિશ્વના સંગીતકારોએ ગાયુ. વિશ્વના જાણીતા 150થી વધુ ગાયકોએ વૈષ્ણવ જન ભજન ગાયુ છે. આજે આ ભજન કલાકારો વાંચ્યા વિના ગાઇ શકે છે. વૈશ્વિક કલાકારો ભજનના અર્થને સારી રીતે જાણે છે. ગાંધી આજે પણ છે કાલે પણ હશે. ગાંધી આજે પણ છે અને ગાંધી કાલે પણ છે. આવતી પેઢીઓ માટે પણ ગાંધી હશે. દરેક સમસ્યાના સમાધાન માટે ગાંધીની મહેક મળે છે. UNએ ગૌરવપૂર્વક ગાંધીને અંજલી આર્પી. UN દ્વારા ગાંધીજી ઉપર વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત થઇ.
ઢોલ-નગારા સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જેને લઈને એરપોર્ટ બહાર ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. PMના સ્વાગત માટે એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કલાકારો ઉમટ્યા હતા. ઢોલ-નગારા સાથે PMનું સ્વાગત કરાયું. પરંપરાગત ડ્રેસમાં સજ્જ કલાકારોએ નૃત્ય કર્યા. ભાજપના હોદ્દેદારો પણ અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી અમદાવાદની મુલાકાતે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ બહાર ઉત્સવ જેવો માહોલ
PM મોદી અમદાવાદની પહોંચ્યા છે ત્યારે એરપોર્ટ બહાર ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કલાકારો ઉમટ્યાં હતા. ઢોલ-નગારા સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા લોકો આતુર છે. ભાજપના હોદ્દેદારો પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
સભા સ્થળ પર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના બેનર લાગ્યા
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે સભાને સંબોધી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સભા સ્થળે પીએમ મોદી અને ટ્રમ્પના બેનર લાગ્યા છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાનના ફોટો સાથે સાથે બેનરો લાગ્યા છે.
સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટ ખાતે સઘન સુરક્ષા
પીએમ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. સામાન્ય નાગરિકો માટે આશ્રમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો સાથે ક્રાઈમ બ્રાંચના જવાનો તૈનાત કરાયા છે. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને રિવરફ્રન્ટ ખાતે સુરક્ષા એજન્સી દ્વારા સઘન ચેકિંગ કરાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી નિહાળશે. GMDC ગ્રાઉન્ડમાં PM મોદી આજે સાંજે આવશે. ત્યાર બાદ GMDCમાં મા અંબાની આરતી પણ ઉતારશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રી પણ નિહાળશે. તો PMના સ્વાગત માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. PM માટે સ્ટેજ પણ સજાવવામાં આવ્યો છે. મા અંબાની પ્રતિમાને પણ સજાવવામાં આવી છે. સાથે જ ગ્રાઉન્ડમાં બાપુના ચરખાની પણ ઝાંખી મુકવામાં આવી છે.