પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોમવારે કરવામાં આવેલી જાહેરાત તેમજ સમયસર લેવામાં આવેલા પગલાથી અર્થવ્યવસ્થાની માંગને પ્રોત્સાહન મળશે. નિર્મલા સીતારમણે LTCના બદલે રોકડ ચૂકવણી અને તહેવારની સીઝનમાં ગ્રાહકોની માગને પ્રોત્સાહિત કરવા તેમજ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકારી કર્મચારીઓને 10,000 રૂપિયા સુધીની આગમી ચૂકવણીની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી નાણા મંત્રી નિર્મલા સીતારમણની આજની જાહેરાત સમયસર ઉઠાવવામાં આવેલું પગલું છે. જેનાથી ગ્રાહકોરને વ્યય અને ધારણાને પ્રોત્સાહન મળશે, આ સાથે મૂડી ખર્ચમાં વધાર થશે. આ પગલાઓથી આપણી અર્થવ્યવસ્થાની માંગ પણ વધશે.
Today’s announcements by FM @nsitharaman Ji are timely moves which will boost consumer spending and sentiment as well as push capital expenditure. These steps will also boost demand in our economy. https://t.co/bqhJhz8iwo
નાણામંત્રી નિર્મલા સીતારમણે વધારાના મૂડી ખર્ચ તેમજ રાજ્યો માટે 12,000 કરોડ રૂપિયાના 50 વર્ષ સુધી વ્યાજ મૂક્ત લોનની પણ જાહેરાત કરી જેથી કોરોના વાયરસ અને ત્યાર પછીના લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને નવો બુસ્ટર ડોઝ મળી શકે.