7 વર્ષ 3 મહીના અને 3 દિવસ બાદ આજે નિર્ભયાને ઇન્સાફ મળ્યો છે. ચાર દોષિતો અક્ષય કુમાર, પવન ગુપ્તા, વિનય શર્મા અને મુકેશ કુમારને આજે ફાંસી આપવામાં આવી છે. ફાંસી બાદ દેશમાં મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી છે. ફાંસીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ન્યાયની જીત થઇ.
નિર્ભયાના ચાર દોષિઓની આજે આપવામાં આવી ફાંસી
PM મોદીએ કહ્યું કે ન્યાયની જીત થઈ છે
મહિલાઓની સુરક્ષાની જવાબદારી આપણી જ છે
દોષિતોની ફાંસી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ પર જણાવ્યું કે ન્યાયની જીત થઇ છે. મહિલાઓની ગૌરવ અને સલામતીની ખાતરી માટે આ ખૂબ અગત્યનું છે. આપણી નારી શક્તિએ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આપણે સૌએ સાથે મળીને એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું છે, જ્યાં મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવે, જ્યાં સમાનતા અને તક પર ભાર મુકવામાં આવ્યો.
Justice has prevailed.
It is of utmost importance to ensure dignity and safety of women.
Our Nari Shakti has excelled in every field. Together, we have to build a nation where the focus is on women empowerment, where there is emphasis on equality and opportunity.
જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું સાત વર્ષ બાદ, નિર્ભયાના દોષીઓને ફાંસી આપવામાં આવી. આજનો દિવસ એ છે, હવે નક્કી કરવાની જરૂરિયાત છે કે હવે કોઇ બીજો નિર્ભયા કેસ ન બને.
सात साल बाद आज निर्भया के दोषियों को फाँसी हुई
आज संकल्प लेने का दिन है- कि अब दूसरी निर्भया नहीं होने देंगे। पुलिस, कोर्ट, राज्य सरकार, केंद्र सरकार - सबको संकल्प लेना है कि हम सब मिलकर सिस्टम की ख़ामियों को दूर करेंगे और भविष्य में किसी बेटी के साथ ऐसा नहीं होने देंगे pic.twitter.com/OhsNaMAKq9