જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીની સાથે રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ ગૃહપ્રધાન રાજનાથસિંહ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને નાણા પ્રધાન અરૂણ જટેલી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પુલવામા આતંકી હુમલાને લઇને જણાવ્યું કે સુરક્ષાદળો સાથે પુરો દેશ છે. અમે સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતી જવાનાએ દેશ માટે પ્રાણની આહુતી આપી છે. આવા હુમલાનો દેશ જડબાતોડ જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન તબાહીના રસ્તા પર આગળ વધી રહ્યું છે.
આતંકવાદીઓ તેના મદદગાર છે જેની તેને મોટી કિંમત ચુકવવી પડશે. આ સાથે જ પીએમ મોદીએ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે આ મામલે રાજકારણ ન કરવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકો ગુસ્સામાં છે.