પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગરમાં મહત્મા મંદિરમાં યોજાયેલા મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
ગાંધીનગરમાં મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
આબેને ગુજરાતના લોકો ખુબ આત્મીયતાથી યાદ કરે છેઃ પીએમ મોદી
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજથી ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે કંપની દ્વારા આજે(28 ઓગસ્ટ) પ્રધાનમંત્રીના હસ્તે સુઝુકીના 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત અને હરિયાણાના લોકોને શુભકામના પાઠવી હતી. મહત્વનું છે કે, સુઝુકી કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડવી તાલુકામાં ઓટોમોટિવ રિસાઇકલિંગ ફેસિલિટી માટે રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરશે. ગાંધીનગર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને કેબિનેટ મંત્રી જેપી દલાલ હાજર રહ્યા હતા.
હરિયાણામાં ત્રીજો મારુતિ સુઝુકી પ્લાન્ટ સ્થપાયો
હરિયાણામાં સોનીપતના ખરખૌદામાં લાગનારા મારૂતિ સુઝુકી પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું. આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ભૂમિપૂજન કર્યું હતું. ખરખૌદા આઈએમટીમાં બનનારો આ રાજ્યનો ત્રીજો મારુતિ સુઝુકી પ્લાન્ટ છે.
જાપાનની 125 કંપનીઓ ગુજરાતમાં કાર્યરતઃ પીએમ મોદી
એક રાજ્ય અને એક વિકસિત દેશનું સાથે ચાલવુ એ મોટી વાત છે. આજે પણ વાયબ્રંટ સમિટમાં જાપાનની ભાગીદારી મહત્વની છે. ગોલ્ફ વગર જાપાનની કલ્પના પણ ન થઈ શકેય આજે ગુજરાતમાં અનેક ગોલ્ફના મેદાનો બનાવવામાં આવ્યા છે. જાપાનની 125 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.
દેશની અનેક પરિયોજનાઓ ભારત અને જાપાનની મિત્રતાનું ઉદાહરણઃ પીએમ મોદી
આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ શિંઝો આબેને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનથી લઇને ઉત્તરપ્રદેશમાં બનારસના રૂદ્રાક્ષ સેન્ટર સુધી વિકાસની અનેક પરિયોજનાઓ ભારત અને જાપાનની મિત્રતાનું ઉદાહરણ છે. અને આ મિત્રતાની જ્યારે વાત થાય છે, તો તમામ ભારતવાસીઓ આપણા મિત્ર પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય શિંઝો આબેની યાદ જરૂર આવે છે. મારૂતિ-સુઝુકીની સફળતા ભારત-જાપાનની મજબૂત પાર્ટનરશિપનું પણ પ્રતીક છે.
આબેને ગુજરાતના લોકો ખુબ આત્મીયતાથી યાદ કરે છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગત 8 વર્ષમાં આપણે બન્ને દેશો વચ્ચે આ સંબંધને નવી ઉંચાઈઓ સુધી ગયા છે. આબે શાન જ્યારે ગુજરાત આવ્યા હતા, તેમણે જે સમય અહીં વિતાવ્યો હતો, તેને ગુજરાતના લોકો ખુબ આત્મીયતાથી યાદ કરે છે. આપણા દેશોને વધુ નજીક લાવવા માટે જે પ્રયાસ તેમણે કર્યા હતા, આજે પીએમ કિશિદા તેને આગળ વધારી રહ્યા છે. ગુજરાત અને જાપાન વચ્ચે જે સંબંધ રહ્યો છે, તે ડિપ્લોમેટિક દાયરાથી પણ ઉંચો રહ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆતથી જ જાપાન એક પાર્ટનર કંટ્રી તરીકે જોડાયુંઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને યાદ છે જ્યારે 2009માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન શરૂ થયું હતું, ત્યારથી જાપાન આની સાથે એક પાર્ટનર કંન્ટ્રી તરીકે જોડાઇ ગયું હતું. મેક ઈન ઈંડિયાને સતત ગતિ મળી રહી છે
દેશમાં એક સાઇલેન્ટ રિવોલન્યુશન આવવાની શરૂઆતઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનોની એક મોટી ખાસિયત એ હોય છે કે તે સાઇલેન્ટ હોય છે. 2 પૈડા હોય કે 4 પૈડા, તે કોઈ આવાજ નથી કરતા. આ સાઇલેન્ટ માત્ર તેના ઇન્જિનિયરિંગ જ નહીં, પરંતુ આ દેશમાં એક સાઇલેન્ટ રિવોલન્યુશન આવવાની પણ શરૂઆત કરી છે.
વધુમાં કહ્યું કે, ઈલેક્ટ્રિક વ્હીકલનું ચલણ વધારવા સરકાર પ્રયાસ કરી રહી છે. આજે ઈ-વાહનોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સરકાર સહાય કરે છે. આગામી 25 વર્ષમાં ભારત પોતાની ઊર્જા જરૂરતો માટે આત્મનિર્ભર બનશે.