પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મૈસૂર યુનિવર્સીટીના શતાબ્દી દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ત્યાં શિક્ષા અને દિક્ષા યુવા જીવનના 2 મહત્વના પડાવ માનવામાં આવે છે.
ગત 5-6 વર્ષમાં 7 નવી આઈઆઈએમ સ્થાપિત કરવામાં આવ્યા
વિદ્યાર્થીઓને 21માં સદીમાં આગળ વધવા માટે સતત મદદ કરી છે
ગત 5-6 વર્ષોમાં આપણે આપણી શિક્ષા પ્રણાલીમાં ફેરફાર થયો
તેમણે કહ્યું કે આઝાદીના આ વર્ષોમાં પણ વર્ષ 2014 પહેલા દેશમાં 16 આઈઆઈટી હતી. ગત 5-6 વર્ષમાં 7 નવી આઈઆઈએમ સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે કે પહેલા દેશમાં 13 આઈઆઈએમ હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગત 5-6 વર્ષોમાં આપણે આપણી શિક્ષા પ્રણાલીમાં ફેરફાર કરી પોતાના વિદ્યાર્થીઓને 21માં સદીમાં આગળ વધવા માટે સતત મદદ કરી છે.
પીએમ મોદીએ સંબોધનમાં આ મહત્વની વાતો કરી
આજે શિક્ષણના દરેક સ્તરમાં દેશમાં દીકરઓમાં ગ્રાસ એનરોલમેન્ટ રેસિયોમાં દિકરાઓ કરતા વધારે છે. ઉચ્ચ શિક્ષણમાં પણ ઈનોવેશન અને ટેક્નોલોજીમાં દીકરીઓની ભાગીદારી વધી છે. 4 વર્ષ પહેલા છોકરીનોનું રજિસ્ટ્રેશન આઈઆઈટીમાં 8 ટકા હતું જે વધીને 20 ટકા થયું છે.
મેડિકલ એજ્યુકેશનમાં ટ્રાન્સપરન્સી લાવવા માટે નેશનલ મેડિકલ કમિશન બનાયું છે. દેશના યુવાનોને વધારે સક્ષમ બનાવવા માટે મલ્ટીડાયમેન્શન અપ્રોચ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
તમે એક ફોર્મલ યુનિવર્સિટીમાંથી નિકળી રિયલ લાઈફ યુનિવર્સિટીના વિરાટ કેમ્પર્સમાં જઈ રહ્યા છો. આ એક એવું કેમ્પર્સ છે જ્યાં ડિગ્રીની સાથે તમારી એબિલિટી વધારે કામ આવશે. જે નોલેજ તમે મેળવ્યું છે તે એપ્લીકેબિલિટી કામ આવશે.
મૈસુર યુનિવર્સિટીના આ રત્નગર્ભા પ્રાંગણે એવા સાથીઓને દિક્ષા લેતા જોવાય છે તેણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા અનેક મહાન વ્યક્તિઓએ આ શિક્ષણ સંસ્થાનમાં અનેકને પ્રેરણા આપી છે.
આપણે ત્યાં શિક્ષા અને દીક્ષા, યુવા જીવનના 2 મહત્વના પડાવ છે. જે હજારો વર્ષો પહેલા અહીં એક પરંપરા રહી છે. જ્યારે આપણે દીક્ષાની વાત કરીએ છીએ તો આ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવરસ નથી. આજનો દિવસ આવનારા પડાવમાં નવા સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે.
મૈસૂર યુનિવર્સીટી, પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષા વ્યવસ્થા અને ભવિષ્યના ભારતની એસ્પિરેશન અને કૈપેબિલિટિજનું પ્રમુખ કેન્દ્ર છે. આ યુનિવર્સીટીએ રાજર્ષિ નાલવાડી કૃષ્ણરાજ વડેયાન અને એમ. વિશ્વેશ્વરૈયા જીના વિઝન અને સંકલ્પોને સાકાર કર્યું છે.