વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરી. જેમાં તેઓએ કહ્યું કે,છેલ્લા આઠ વર્ષમાં ભારતે ઘણા અસાધારણ કામો કર્યા છે. ભારત વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી છે
PM મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને કરી સંબોધિત
'આજનું ભારત વૈજ્ઞાનિક અભિગમની સાથે વધી રહ્યું છે આગળ'
છેલ્લા આઠ વર્ષમાં ભારતે કર્યા છે ઘણા અસાધારણ કામો: PM
આજે વિશ્વભરમાં ભારતની થઈ રહી છે ચર્ચાઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, વિજ્ઞાનમાં જુસ્સાની સાથે જ્યારે દેશની સેવા કરવાનો સંકલ્પ જોડાય છે, ત્યારે પરિણામ પણ અભૂતપૂર્વ આવે છે. આજનું ભારત જે વૈજ્ઞાનિક અભિગમની સાથે આગળ વધી રહ્યું છે, તેના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. વિજ્ઞાન (science)ના ક્ષેત્રમાં ભારત ઝડપથી વિશ્વના ટોચના દેશોમાં સામેલ થઈ રહ્યું છે.
વિશ્વમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ થીમનીઃ PM
વડાપ્રધાને કહ્યું કે, આ વખતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ પણ એક એવો વિષય છે જેની વિશ્વમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. વિશ્વનું ભવિષ્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (Sustainable Development)સાથે જ સુરક્ષિત છે. તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (Sustainable Development)ના વિષયને મહિલા સશક્તિકરણની સાથે જોડ્યો છે. આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે વિજ્ઞાન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈએ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈએ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપવી, આ અમારો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું, હવે ભારતને G-20 અધ્યક્ષ પદની જવાબદારી મળી છે. G-20ના મુખ્ય વિષયોમાં મહિલા લીડ ડેવલપમેન્ટ (Women Lead Development) પણ પ્રાથમિકતાનો વિષય છે.
આઠ વર્ષોમાં દેશે કર્યું અસાધારણ કામ
પીએમ મોદીએ કહ્યું, છેલ્લા આઠ વર્ષમાં ભારતે શાસનથી લઈને સમાજ અને અર્થવ્યવસ્થા સુધીના ઘણા એવા અસાધારણ કામો કર્યા છે, જેની આજે ચર્ચા થઈ રહી છે. છેલ્લા આઠ વર્ષોમાં એકસ્ટ્રા મોરલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ છે. મહિલાઓની આ વધતી ભાગીદારી એ વાતનો પુરાવો છે કે સમાજ પણ પ્રગતિ કરી રહ્યો છે અને સાયન્સ પણ આગળ વધી રહ્યું છે.
લેબથી નીકળીને જમીન સુધી પહોંચ્યા પ્રયાસ
પીએમ મોદીએ કહ્યું, વિજ્ઞાનના પ્રયાસો ત્યારે જ મોટી સિદ્ધિઓમાં ફેરવાઈ શકે છે, જ્યારે તે લેબ છોડીને જમીન સુધી પહોંચે. જ્યારે તેની અસર વૈશ્વિકથી સ્થાનિક ગ્રાસરૂટ સુધી હોય, જ્યારે તેનું વિસ્તરણ જર્નલ્સથી જમીન સુધી હોય. જ્યારે તેનાથી પરિવર્તન સંશોધન દ્વારા થતાં વાસ્તવિક જીવનમાં દેખાવા લાગે. તેમણે કહ્યું કે, ભારતની જરૂરિયાતો પૂરી કરવા માટે, ભારતમાં વિજ્ઞાનનો વિકાસ, આપણા વૈજ્ઞાનિક સમુદાયની ભૂત પ્રેરણા હોવી જોઈએ.