લોકસભા-2019ની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ આજે વહેલી સવારે રાજકોટના હવાઇમથકે પહોંચ્યા બાદ રાજકોટના સ્થાનિક નેતાઓ સાથે કેટલીક ચર્ચા કર્યા બાદ જૂનાગઢ પહોંચ્યા હતા.
જૂનાગઢ: લોકસભા-2019ની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ આજે વહેલી સવારે રાજકોટના હવાઇમથકે પહોંચ્યા બાદ રાજકોટના સ્થાનિક નેતાઓ સાથે કેટલીક ચર્ચા કર્યા બાદ જૂનાગઢ પહોંચ્યા હતા.
જૂનાગઢમાં વડાપ્રધાને એક જનસભાને સંબોધી હતી, તેમણે પોતાના ભાષણની શરૂઆત કેમ છો કહીને કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, જૂનાગઢ ત્રિવેણી સંગમ અને કેસર કેરી અને સંતોની ભૂમિ,આજે હું મારા કામ કાજનો હિસાબ આપવા આવ્યો છું. તો કોંગ્રેસને આડેહાથ લેતા બાપ અને 3 દિકરાની વાર્તા કહીને શાબ્દિક પ્રહાર કર્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પીએમ મોદીનુ સંબોધન,ચોકીદારે જે સરકાર ચલાવી તમને ગર્વ થયા છે ને, ચોકીદાર સરકાર પર એક પણ દાગ નહિ, કોંગ્રેસના પુરાવ સાથે કોંભાડ બહાર આવે છે, તુગલખ રોડ ચૂંટણી કોંભાંડ, કોંગ્રેસ નેતાઓના ઘરે થી પૈસાના ભરેલા બેગ મળી રહા છે @narendramodi@BJP4Gujaratpic.twitter.com/iQiG8W01jm
વડાપ્રધાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સંબોધન કરતા કહ્યું કે,ચોકીદારે જે સરકાર ચલાવી તમને ગર્વ થયા છે ને, ચોકીદાર સરકાર પર એક પણ દાગ નહિ, કોંગ્રેસના પુરાવ સાથે કૌભાંડ બહાર આવે છે, તુગલખ રોડ ચૂંટણી કૌભાંડ, કોંગ્રેસ નેતાઓના ઘરે થી પૈસાના ભરેલા બેગ મળી રહ્યા છે.
આગામી 5 વર્ષ માટે તમારી પાસે આદેશ લેવા આવ્યો છું,ગર્ભવતી મહિલાઓનુ ફંડ કોંગ્રેસ ખાઇ ગઇ,#Congress એ પહેલા કર્ણાટક અને હવે મધ્યપ્રદેશને ATM બનાવ્યુ.કોંગ્રેસ દર વખતે ગરીબી હટાવોના વાયદાઓ વારંવાર કરતી આવી છે.@narendramodi@BJP4Gujaratpic.twitter.com/nHXOYzq61P
આ સાથે જ જ્યારે આતંવાદ હટાવાની વાત કરે ત્યારે અન્ય પક્ષો મોદીને હટાવવાની વાત કરે છે. સરદાર ન હોત જૂનાગઢ ક્યા હોત, નહેરૂ પરિવારને ગુજરાત પ્રત્યે નફરત હતી. કોંગ્રેસના ટેપ રેકોર્ડમાં એક જ ગીત વાગે છે મોદી હટાઓ.