ભારતીય જનસંઘના જનક ગણાતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિના કાર્યક્રમ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સંકટ કાળમાં પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોની સેવા કરી, કેટલાંક કોરોનાથી સંક્રમિત થયા અને કેટલાકે જીવ પણ ગુમાવ્યાં છે.
કૃષિ બિલ પર ફરી વિપક્ષને આડે હાથ લેતા પીએમ મોદી
કૃષિ બિલને લઇને પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં અમારી સરકારે યુવા અને ખેડૂતોને લઇને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે લોકોના જીવનમાં સરકાર જેટલું ઓછી દખલ કરશે, તેટલું જ સારુ રહેશે. આઝાદીના ઘણા વર્ષ પછી ખેડૂતોના નામ પર કેટલીક જગ્યાએ સૂત્રોચ્ચાર થયા, પરંતુ તેમની નારેબાજી ખોખલી હતી.
आजादी के अनेक दशकों तक किसान और श्रमिक के नाम पर खूब नारे लगे, बड़े-बड़े घोषणा पत्र लिखे गए, लेकिन समय की कसौटी ने सिद्ध कर दिया है कि वो सारी बातें कितनी खोखली थीं, सिर्फ नारें थे। देश अब इन बातों को भली भांति जानता है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/46bxT4FwVS
પીએમ મોદીએ કહ્યું કે કૃષિ બિલથી નાના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. પીએમ મોદીએ કહ્યું કે હવે ખેડૂતો પોતાની મરજી પ્રમાણે કોઇપણ જગ્યાએ પાક વેચી શકશે, જ્યાં પણ ખેડૂતોને વધુ કિંમત મળશે તે ત્યાં વેચી શકશે.
किसानों को ऐसे कानूनों में उलझाकर रखा गया, जिसके कारण वो अपनी ही उपज को, अपने मन मुताबिक बेच भी नहीं सकता था। नतीजा ये हुआ कि उपज बढ़ने के बावजूद किसानों की आमदनी उतनी नहीं बढ़ी। हां, उन पर कर्ज जरूर बढ़ता गया: प्रधानमंत्री pic.twitter.com/vGV1bDnaoq
ભાજપના કાર્યકર્તાઓએ ખેડૂતોને સરળ ભાષામાં સમજાવાનું રહેશે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો ખેડૂતોને ખોટું બોલ્યાં, તેઓ હવે ખેડૂતોના ખભા પર બંદૂક રાખી ચલાવી રહ્યાં છે. આ આ લોકો ખોટુ ફેલાવીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે.
કેટલાંક લોકોએ રાષ્ટ્રહિતના બદલે પોતાના હિતને સર્વોપરી રાખ્યું. ખેડૂતોને કાયદામાં ઉલઝાવી રાખવામાં આવ્યાં, જેના કારણે તેઓ પોતાનો પાક ક્યાંય વેચી શકતા નહોતા. પીએમ મોદીએ કહ્યું કે અમને MSPમાં રેકોર્ડ બ્રેક વધારો કર્યો.
અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધારે ખેડૂતોને આપવામાં આવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે UPA સરકારે માત્ર 20 લાખકરોડનું ઋણ ખેડૂતોને આપવામાં આવ્યા હતા, પરંતુ આપણી સરકારે 35 લાખ કરોડથી વધારે લોન આપી.