પીએમ મોદી દાહોદ જિલ્લામાં સભા સંબોધી છે, જ્યાં તેઓએ જણાવ્યું કે, દાહોદે નક્કી કરી લીધુ કે ભાજપની સરકાર બની ગઈ
દાહોદમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
એક ભાઈ પદ માટે યાત્રા કરી રહ્યાં છે: PM મોદી
આદિવાસી સમાજને કોંગ્રેસે ક્યારે યાદ કરી નથી:PM મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. PM ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં પ્રચાર કરી રહ્યાં છે. PM મોદી દાહોદમાં જનસભાને સંબોધી હતી અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
દાહોદે નક્કી કરી લીધુ કે ભાજપની સરકાર બની ગઈ: PM મોદી
તેમણે કહ્યું કે, દાહોદે નક્કી કરી લીધુ કે ભાજપની સરકાર બની ગઈ તેમણે જણાવ્યું કે, ઘણા લોકો કહે છે કે, વિજય નક્કી છે તો તમે કેમ એટલી મહેનત કરો છે પરંતુ મારા માટે જનતા જ ઈશ્વર છે અને હું તમારી આગળ માથો ટેકવવા આવ્યું છે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસમાં ફર્ક જ આ છે કે, કોંગ્રેસવાળાની જીત નક્કી હોય તો દેખાય જ નહી અને અમે 200 ટકા જીત નક્કી હોય તો પણ પગ પડીએ જ. તેમણે કહ્યું ગુજરાતના લોકોએ મને સંસ્કારો આપ્યા છે એટલે તમે સત્તા પર નથી બેસાડ્યો પરંતું સેવા કરવા બેસાડાવ્યો છે.
આદિવાસી સમાજને કોંગ્રેસે ક્યારે યાદ કરી નથી:PM મોદી
PM મોદી કહ્યું કે, કમળને વોટ આપી પોતાનો કર્તવ્ય નીભાવવાનો છે, તેમણે કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજને કોંગ્રેસે ક્યારે યાદ કરી નથી જ્યારે ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરી વોટ લઈ જાય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને ક્યારે રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો અને ભાજપે દેશમાં પહેલીવાર મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, એક ભાઈ પદ માટે યાત્રા કરી રહ્યાં છે પદ માટે ફાંફા મારતા લોકોને પૂછવા માગુ છું કે, એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યા તો એમને ટેકો આપવામાં તમારે પેટમાં શુ દુ:ખતો હતા.
તમે એક કામ મારૂ કરશો:PM મોદી
PM મોદીએ કહ્યું કે, તમે મને દિલ્હી બેસાડ્યો એટલે તમારી જિંદગી બદલીને જ રહીશ જે જોઈએ એ જરૂરીયાત પૂરી કરીશે. તેમણે કહ્યું કે, મારી એક વિનંતી છે કે, તમે એક કામ મારૂ કરશો અને તેમણે કહ્યું કે, બધા જ પૂલીંગ બૂથ પર પહેલા જેટલા વોટ પડ્યાં હોય તેનાથી વધુ વોટ પડે તેવું કરશો, જબરજસ્ત વોટ કરાવશો, કમળનું બટન દબાવજો તેમણે કહ્યું એક મારી અંગત વાત છે, દોહાદે મને મોટો કર્યો છે અને ઘણુ બધુ શીખવાડ્યો પણ છે કરશોને! અને કહ્યું કે, બધા લોકોને મળવાનો છો ત્યારે તે લોકોને, વડિલોને કહેજો નરેન્દ્રભાઈ પ્રણામ કહ્યાં છે, વડીલો મને આશીર્વાદ આપશે જેનાથી મને કામ કરવાની વધુ શક્તિ મળેશે.